Operation Ajay : ઓપરેશન અજય ‘હેઠળ’ કુલ 1200 ભારતીયોને પરત લવાયા, વિદેશ મંત્રાયલે આપી માહિતી
ઓપરેશન અજય ‘હેઠળ’ 18 નેપાળી નાગરિકોને પણ વતન પરત લવાયા
ઓપરેશન અજયની પ્રથમ ઉડાન 13 ઓક્ટોબરે શરૂ કરાઈ હતી
નવી દિલ્હી, તા.19 ઓક્ટોબર-2023, ગુરુવાર
ઈરાક-હમાસ યુદ્ધ (Israel-Hamas War)માં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ‘અજય’ (Operation Ajay) અભિયાન શરૂ કર્યા બાદ કુલ 5 ફ્લાઈટોમાં અત્યાર સુધીમાં 1200 ભારતીયોને વતન પરત લવાયા છે, જેમાં 18 નેપાળી નાગરિકો પણ સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)ના જણાવ્યા મુજબ ભારતે તેના નાગરિકોને સુરક્ષિત વતન પરત લાવ્યું છે.
1205 ભારતીયોને વતન પરત લવાયા
ઓપરેશન ‘અજય’ અભિયાન હેઠળ પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયો, બીજી ફ્લાઈટમાં 235, ત્રીજી ફ્લાઈટમાં 197, ચોથી ફ્લાઈટમાં 275 અને પાંચમી ફ્લાઈટમાં 286 ભારતીયોને વતન પરત લવાયા છે. આમ આ અભિયાન હેઠળ કુલ 1205 ભારતીયોને વતન પરત લવાયા છે.
ઓપરેશન અજયની પ્રથમ ઉડાન 13 ઓક્ટોબરે શરૂ કરાઈ હતી
આ અગાઉ વિદેશ મંત્રાલયે દ્વારા જણાવાયું હતું કે, લગભગ 18,000 ભારતીયો ઈઝરાયેલમાં છે. ઓપરેશન અજય શરૂ કરતા પહેલાં વિદેશ મંત્રાલયે ભારતીયોને એડવાઈઝરીનું પાલન કરવાની સલાહ અપાઈ હતી. ઉલ્લેખનિય છે કે, ઈરાક-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલથી પરત આવવા માગતા લોકો માટે ભારત સરકારે ઓપરેશન ‘અજય’ લોન્ચ કર્યું, જેમાં વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ દ્વારા ભારતીયોને પરત લવાયા છે. ભારત સરકાર વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને ભલાઈ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા કેટલી?
એક ડેટા મુજબ ઈઝરાયલમાં કુલ ભારતીયોની સંખ્યા 18,000 છે, જેઓ કામકાજ અથવા અભ્યાસ માટે ત્યાં ગયા છે, ઉપરાંત આમાં 1000 વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે.