એર ઈન્ડિયાના હેડ રહ્યાં, પેપર લીક વિવાદ વચ્ચે હવે NTAની કમાન સંભાળશે, કોણ છે પ્રદીપ સિંહ ખરોલા?

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
NTA New Chief Pradeep singh Kharola


NTA Chief Replaced : NEET UGનું પેપર 5મી મેના રોજ લીક થયું હતું. આ ઘટનાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. NEET UG પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવી હતી. આ મામલે વિવાદ થયા બાદ ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને તેમના પદ (સુબોધ કુમાર સિંહ IAS) પરથી હટાવી દેવામાં આવ્યા છે. હવે તેમની જગ્યાએ નિવૃત્ત IAS પ્રદીપ સિંહ ખરોલા NTA પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે.

એક પછી એક પરીક્ષાઓ રદ... 

NTA NEET પરીક્ષાની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. NEET UG પરના વિવાદને ધ્યાનમાં રાખીને NEET PG પરીક્ષા પણ રદ કરવામાં આવી હતી. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે. પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને NEET UG વિવાદને જોતા NTA પર સવાલો ઉભા થઈ રહ્યા હતા અને તેથી જ કેન્દ્ર સરકારે સુબોધ કુમાર સિંહને તેમના પદ પરથી હટાવી દીધા છે. હવે જાણો કોણ છે IAS પ્રદીપ સિંહ ખરોલા જે NTAના નવા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. 

IAS અધિકારી પ્રદીપ સિંહ ખરોલા કોણ છે?

IAS અધિકારી પ્રદીપ સિંહ ખરોલા 1985 બેચના કર્ણાટક કેડરના અધિકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની ઉંમર 62 વર્ષ છે. તે ઉત્તરાખંડના રહેવાસી છે. તેમણે 1982માં ઈન્દોર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે 1984 માં IIT દિલ્હીથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. કહેવાય છે કે તે તેમની બેચના ટોપર હતા. તેમણે એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, મનીલા, ફિલિપાઇન્સમાં ડેવલપમેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર્સ પણ કર્યું છે.

NTAનો વધારાનો ચાર્જ મળ્યો 

IAS પ્રદીપ સિંહ ખરોલા વર્ષ 2022 થી ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ છે. તેમને નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ નવા ડિરેક્ટરની નિમણૂક સુધી NTAની કમાન સંભાળશે. ખરોલા વર્ષ 2012-13માં કર્ણાટકના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. તેમણે કર્ણાટકમાં અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ ફાઈનાન્સ કોર્પોરેશન (KUIDFC)નું પણ નેતૃત્વ કર્યું હતું.

એર ઈન્ડિયાની કમાન પણ સંભાળી હતી 

એર ઈન્ડિયાના ખાનગીકરણ પહેલા IAS પ્રદીપ સિંહ ખરોલા તેના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર હતા. જ્યારે સરકાર એર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટની પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપી રહી હતી ત્યારે તેમને એર ઈન્ડિયાના વડા બનાવવામાં આવ્યા હતા. તેમણે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન (BMRC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. પ્રદીપ સિંહ ખારોલા નેશનલ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશનના જોઈન્ટ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે.

એર ઈન્ડિયાના હેડ રહ્યાં, પેપર લીક વિવાદ વચ્ચે હવે NTAની કમાન સંભાળશે, કોણ છે પ્રદીપ સિંહ ખરોલા? 2 - image


Google NewsGoogle News