NPS ધારકોને પેન્શન ઉપાડવાનો અધિકાર કેમ મળ્યો? તેના માટે કેવી રીતે કરી શકાય છે અરજી તે જાણો

પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ (PFRDA) એ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંતર્ગત પેન્શન ઉપાડવાનો નિયમ રજુ કર્યો છે

આ નિયમ 1 ફેબ્રુઆરી 2024 થી લાગુ થશે

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
NPS ધારકોને પેન્શન ઉપાડવાનો અધિકાર કેમ મળ્યો? તેના માટે કેવી રીતે કરી શકાય છે અરજી તે જાણો 1 - image


NPS latest update: દેશના પેન્શનધારકો માટે એક ખુશ ખબર છે. 1 ફેબ્રુઆરીથી નેશનલ પેન્શન સિસ્ટમના નિયમો બદલાશે. આ અંગે પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણએ એક પરિપત્ર બહાર પડ્યો છે. જે અંતર્ગત હવે સેવા નિવૃત્ત સરકારી કર્મચારી પેન્શન ફંડમાંથી આંશિક રિફંડ કરી શકશે. 

માત્ર 25 ટકા ભાગ જ ઉપાડી શકાશે 

આ નવા નિયમ મુજબ પેન્શનધારક તેના પેન્શનમાંથી માત્ર 25 ટકા ભાગ જ ઉપાડી શકે છે. આ ઉપરાંત ઓથોરિટીએ આપેલી જાણકારી અનુસાર આ ઉપાડમાં પેન્શનધારકની ડિપોઝીટનો સમાવેશ થશે નહિ. આદેશ અનુસાર, ખાસ કારણોને ધ્યાનમાં લઈને જ પેન્શન ફંડમાંથી ઉપાડ કરી શકાય છે. ઉપાડ માટે ક્યાં કારણો વાજબી છે તે પણ જણાવવામાં આવ્યું છે. 

આ કારણોને ધ્યાનમાં રાખીને ઉપાડની મંજુરી આપવામાં આવે છે 

- તમે નવો વ્યવસાય શરુ કરવા માટે કે સ્ટાર્ટઅપ માટે ઉપાડ કરી શકો છો 

- બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે પણ ઉપાડ કરી શકો છો, આમાં દતક લીધેલા બાળકનો પણ સમવેશ થાય છે

- સ્કિલ ડેવલપમેન્ટ ખર્ચ માટે પણ ઉપાડ કરી શકાય છે 

- કોઈ જમીન, ઘર કે ફ્લેટ ખરીદવા માટે 

- કેન્સર, કિડની રોગ,બાયપાસ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પેન્શન ઉપાડી શકાય છે 

- વિકલાંગતા અથવા અન્ય કોઈપણ શારીરિક ક્ષતિઓને કારણે કોઈપણ તબીબી ખર્ચ માટે

- બાળકોના લગ્ન જેવા ખર્ચાઓ માટે પણ ઉપાડ કરી શકાય છે

પેન્શન ફંડમાંથી આ રીતે પૈસા ઉપાડી શકશે 

- પેન્શન ફંડમાંથી માત્ર 25 ટકા રકમ જ ઉપાડી શક્ય છે 

- તેના માટે પૈસા ઉપાડવાનું કારણ અને એફિડેવિટ રજુ કરવાનું રહે છે 

- તેના માટે તમારે એફિડેવિટ પેન્શન ઓફિસમાં નોડલ ઓફિસરને સબમિટ કરાવવાનું રહેશે 

- જો પેન્શનર બિમારી કે અન્ય કોઈ શારીરિક અક્ષમતાને કારણે પોતે ન આવી શકે તો પરિવારનો કોઈ સભ્ય આવીને આ દસ્તાવેજ જમા કરાવી શકે છે

- સંપૂર્ણ રકમ જમા કરાવતા પહેલા, વિભાગ તેની તપાસ કરવા માટે ખાતામાં કેટલાક પૈસા નાખશે અને પછી કન્ફર્મેશન બાદ, સંપૂર્ણ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

NPS ધારકોને પેન્શન ઉપાડવાનો અધિકાર કેમ મળ્યો? તેના માટે કેવી રીતે કરી શકાય છે અરજી તે જાણો 2 - image


Google NewsGoogle News