નીતિશ કુમાર ફરી મારશે 'ગુલાંટ'? RJD સાથે જોડાવા અંગે કહ્યું - 'બે વાર ભૂલ થઈ ગઈ, હવે...'

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
Nitish kumar Alliance

Twitter



Bihar Nitish Kumar News | બિહારમાં ફરી એકવાર નીતિશ કુમારની ગુલાંટ મારવાની ચર્ચાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે. ત્યાં મુખ્યમંત્રી નીતિશ કુમારે હવે સામે આવીને ફરી સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું કે હું ભૂતકાળમાં બે વખત આરજેડી સાથે ગઠબંધન કરીને ભૂલ કરી ચૂક્યો છું. હવે ફરીવાર આવી ભૂલ નથી કરવાનો.

નીતિશ કુમાર અને તેજસ્વી વચ્ચે અડધો કલાક ચર્ચા
નીતિશ કુમારની આ નિવેદન એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે ગત દિવસોમાં રાજદ નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. તેના બાદથી એવા કયાસો થઇ રહ્યા હતા કે બિહારના રાજકારણમાં ફરી એકવાર નવા જૂની થઇ શકે છે. આ મુલાકાત પણ અચાનક થઇ હતી અને બંને નેતા વચ્ચે લગભગ અડધા કલાક સુધી ચર્ચા થઇ હતી.

નડ્ડા પણ બિહાર પહોંચ્યા...
હવે નીતિશ કુમારે આ મામલે લાગી રહેલા તમામ કયાસો પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે એનડીએ સાથે હવે અમારું ગઠબંધન સ્વાભાવિક છે અને હવે તે હંમેશા માટે જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપના અધ્યક્ષ નડ્ડા પણ આજે પટણા પહોંચ્યા હતા અને નીતિશ કુમાર સાથે તેમની મુલાકાત થઇ હતી. નડ્ડા અહીં બે દિવસ રોકાશે.

નીતિશ કુમાર ફરી મારશે 'ગુલાંટ'? RJD સાથે જોડાવા અંગે કહ્યું - 'બે વાર ભૂલ થઈ ગઈ, હવે...' 2 - image


Google NewsGoogle News