નવો નિયમઃ ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ન કરતા આ ભૂલ, ગુમાવી પડી શકે છે તમારી કન્ફર્મ સીટ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
નવો નિયમઃ ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ન કરતા આ ભૂલ, ગુમાવી પડી શકે છે તમારી કન્ફર્મ સીટ 1 - image

Image: Freepik 

નવી મુંબઇ,તા. 4 જાન્યુઆરી 2024, ગુરુવાર 

દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કે ફરવા માટે લોકો પ્લેન, પર્સનલ ગાડી, બસ કે ટ્રેનનો ઉપયોગ કરે છે. ખાસ કરીને લોકો ટ્રેનમાં મુસાફરી કરવી પસંદ કરે છે. કારણ કે, લોકોને તે સસ્તી અને સરળ તેમજ મનોરંજન પણ લાગે છે. ભારતમાં દરરોજ અંદાજે 2.5 કરોડ મુસાફરો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે.

ભારતમાં સાડા આઠ હજારથી વધુ રેલવે સ્ટેશન છે. જો આપણે ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, તો લોકોને લાગે છે કે પહેલા રિઝર્વેશન કરવું વધુ સારું છે. કારણ કે, જનરલ કોચમાં ઘણી ભીડ હોય છે પણ શું તમને ખબર છેકે, રિઝર્વેશન કરાયા બાદ પણ તમે જો આ ભૂલ કરો છો તો તમારી સીટ જઇ શકે છે. 

10 મિનિટમાં સીટ પર પહોંચવું પડશે

ભારતીય રેલ્વેએ હવે રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા મુસાફરો માટે નવા નિયમો લાગુ કર્યા છે. જો રિઝર્વેશનમાં કોઈની સીટ કન્ફર્મ થઈ જાય, તો તેણે 10 મિનિટની અંદર ટ્રેનમાં તેની સીટ પર પહોંચવું પડશે. જો પેસેન્જર આમ કરવામાં નિષ્ફળ જાય તો તેની સીટ અન્ય કોઈને ફાળવી શકાય છે. વાસ્તવમાં, હવે TTE નવા હેન્ડ હેલ્ડ મશીન વડે ટિકિટ ચેક કરે છે. આવી સ્થિતિમાં, જો તમને તમારી સીટ ન મળે, તો TTE તે સીટ RAC અથવા વેઇટિંગ લિસ્ટ પેસેન્જરને આપી દે છે. 

હવે TTE નવા હેન્ડ હેલ્ડ મશીન વડે ટિકિટ ચેક કરે છે. જ્યારે અગાઉ તે કાગળના દસ્તાવેજોથી ટિકિટ ચેક કરતો હતો. આ પ્રક્રિયામાં સમય લાગતો હતો. જો કોઈ સીટ ખાલી હોતી હતી તો તેને ખાલી જાહેર કરવામાં ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે નવા મશીનને કારણે, TTE 10 મિનિટમાં પેસેન્જરની ટિકિટ ચેક કરાવી શકતું નથી. પછી તે સીટ ખાલી જાહેર કરે છે અને અન્ય કોઈને આપે છે.


Google NewsGoogle News