સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે આ મુસ્લિમ જાતિઓએ SCનો દરજ્જો માગ્યો, સમિતિ સાથે મુલાકાત

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે આ મુસ્લિમ જાતિઓએ SCનો દરજ્જો માગ્યો, સમિતિ સાથે મુલાકાત 1 - image


Image: X

Pasmanda Made A Big Demand: અનુસૂચિત જાતિમાં સબ ડિવિઝનને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે હવે પસમાંદા મુસ્લિમોએ પણ SCનો દરજ્જો માગ્યો છે. ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મેહાઝ (AIPMIM) અને અન્ય મુસ્લિમ સંગઠનોએ માગ કરી છે કે, ઓછામાં ઓછી 12 જાતિઓને SCમાં શામેલ કરવામાં આવે.

અલગ-અલગ ધર્મોની જાતિઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્તરના આધાર પર SCમાં શામેલ કરવાનો રિપોર્ટ તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી જસ્ટિસ કેજી બાલાકૃષ્ણન કમિટી સાથે  પણ મુસ્લિમ સંગઠનોએ મુલાકાત કરી છે.  પૂર્વ સાંસદ અલી અનવરનું કહ્યું છે કે ઓછામાં ઓછી બહાર જાતિઓને 80 માં સામેલ કરવામાં આવે તેમણે કહ્યું કે તેમની સ્થિતિ હિન્દુ અનુસૂચિત જાતિઓથી પણ ખરાબ છે. તેમને તેમના જ સમુદાયના લોકો પણ અચૂક માને છે.

અહેવાલ પ્રમાણે અનવરે કહ્યું કે, મુસ્લિમોમાં ઓછામાં ઓછી 20 જાતિઓ એવી છે જેમની આર્થિક સ્થિતિ હિન્દુ દલિતો કરતા પણ ખરાબ છે. બિહારના  જાતે આધારે જ સર્વેક્ષણમાં પણ આ વાત સામે આવી છે. આ જાતિઓ કુલ મુસ્લિમોની 6.62% છે. બીજી તરફ બિહારમાં તેમની વસ્તી 1.16% છે. તમને જણાવી દઈએ કે ભાજપ પણ પસમાંદા મુસ્લિમોના મત પોતાના તરફ લાવવાનો પ્રયાસ કરી રહી છે.  ભાજપે અલ્પસંખ્યાક મોરચાને 50 લાખ મુસ્લિમોને પાર્ટીમાં જોડવાનું કામ સોંપ્યું છે.

બીજી તરફ AIPMM ની માંગ છે કે અનુસૂચિત જાતિની નવી યાદી નિષ્પક્ષતા સાથે બનાવવામાં આવે અને તેમાં દલિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પણ સામેલ કરવામાં આવે.  તમને જણાવી દઈએ કે આદિવાસી અને પછાત મુસ્લિમો માટે પસમાંદા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.  અલી અનવરે કહ્યું કે મોટી સંખ્યામાં હોવા છતાં મુસ્લિમોને નોકરીઓ અને લઘુમતી સમુદાયોમાં પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું.  દલિત મૂળના મુસ્લિમ અને ખ્રિસ્તીઓ લાંબા સમયથી ધાર્મિક પ્રતિબંધોને હટાવવાની માંગ કરતા આવ્યા છે. 

તમને જણાવી દઈએ કે 2022માં કેન્દ્ર સરકારે નિવૃત્ત જસ્ટિસ કેજી બાલકૃષ્ણનની અધ્યક્ષતામાં આયોગની રચના કરી હતી. તેનો હેતુ અનુસૂચિત જાતિમાં નવી જાતિઓને  સામેલ કરવાની શક્યતાને ધ્યાનમાં લેવાનો હતો. આ હેઠળ તે જાતિઓને મહત્વ આપવામાં આવે છે જે એક સમયે હિંદુ, બૌદ્ધ અથવા શીખ ધર્મમાંથી ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી અથવા મુસ્લિમ બન્યા છે.


Google NewsGoogle News