MP Election 2023: 'હું નારિયેળ લઈને ચાલુ છું અને તેઓ તાળુ લઈને ચાલે છે'- કમલનાથ પર ભડક્યા શિવરાજ સિંહ ચૌહાણ

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News

MP Election 2023: 'હું નારિયેળ લઈને ચાલુ છું અને તેઓ તાળુ લઈને ચાલે છે'- કમલનાથ પર ભડક્યા શિવરાજ સિંહ ચૌહાણ 1 - image

                                                          Image Source: Twitter

શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથ પર બીજેપીની સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ બંધ કરવાનો આરોપ લગાવ્યો

ભોપાલ, તા. 21 ઓક્ટોબર 2023, શનિવાર

મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ફરી એક વખત રાજ્યના પૂર્વ સીએમ કમલનાથ પર નિશાન સાધ્યુ છે. તેમણે કમલનાથ પર બીજેપીની સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કમલનાથ પર પ્રહાર કરતા કહ્યું કે, હું નારિયેળ લઈને ચાલુ છે અને કમલનાથ તાળુ લઈને ચાલે છે. તેમણે કહ્યું કે, હું વિકાસનું નારિયેળ લઈને ચાલુ છું અને તેઓ તાળુ લઈને ચાલે છે અને બીજેપી સરકારમાં શરૂ કરવામાં આવેલી યોજનાઓ પર તાળુ લગાવી દે છે. 

કમલનાથના નિવેદન પર CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હું વિકાસનું નારિયેળ લઈને ચાલુ છુ. હું યોજનાઓનો શિલાન્યાસ કરું છું, નારિયેળ ફોડુ છું. હું નારિયેળ લઈને ચાલુ છું અને કમલનાથ તાળું લઈને ચાલે છે. તેમની સરકાર આવવા પર તેઓ ભાજપની યોજનાઓ પર તાળુ લગાવી દે છે. 

તેમણે કહ્યું કે, યોજનાઓની શરૂઆત કરું છું તો નારિયેળ ફોડુ છું. મેડિકલ કોલેજ ખોલુ છું તો નારિયેળ ફોડુ છું. નવી હોસ્પિટલ બનાવું છું તો નારિયેળ ફોડુ છું. નવી યોજનાઓ શરૂ કરું છું તો નારિયેળ ફોડુ છું. જ્યારે કમલનાથ તાળુ લઈને ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ પર તાળુ લગાવી દે છે. તેઓ યોજનાઓ બંદ કરી દે છે અને જનતાને તેનો લાભ નથી લેવા દેતા. 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ યથાવત છે. સીએમ શિવરાજ અને કમલનાથ વચ્ચે શાબ્દિક પ્રહારો પણ ચાલુ છે.


Google NewsGoogle News