7મીએ શ્રીનગરમાં મોદીની રેલી, 370 રદ થયા બાદ પ્રથમ મુલાકાત

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
7મીએ શ્રીનગરમાં મોદીની રેલી, 370 રદ થયા બાદ પ્રથમ મુલાકાત 1 - image


- એક લાખ લોકો રેલીમાં જોડાશે: ભાજપ 

- કાશ્મીરીઓમાં મોદી પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે જે આ રેલીમાં જોવા મળશે : સુનિલ શર્મા 

શ્રીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ ૩૭૦ રદ કર્યા બાદ પ્રથમ વખત શ્રીનગરની મુલાકાત માટે જઇ રહ્યા છે. ભાજપને એવી આશા છે કે મોદીની રેલીમાં એક લાખ લોકો જોડાઇ શકે છે. સાતમી માર્ચે મોદી શ્રીનગરમાં બક્ષી સ્ટેડિયમમાં રેલીને સંબોધશે. 

શ્રીનગરમાં મોદીની રેલીને લઇને સ્થાનિક ભાજપ નેતાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે મીડિયાને જણાવ્યું હતું કે મોદીની રેલીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને અમે બેઠક યોજી હતી. અમને આશા છે કે આ મેગા રેલીમાં જમ્મુ કાશ્મીરના એક લાખથી વધુ લોકો જોડાશે. 

જ્યારે ભાજપના નેતા અને કાશ્મીરના ઇન્ચાર્જ સુનિલ શર્માએ કહ્યું હતું કે આ એક વિશાળ રેલી હશે, અમે બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ અને નેતાઓને સામેલ કર્યા હતા.

 બેઠકમાં રેલીમાં આવનારા લોકોની સંખ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. આ રેલીને લઇને લોકોમાં પણ કુતુહલ છે. શર્માએ દાવો કર્યો હતો કે કાશ્મીરના ગરીબો, મહિલાઓ સહિત તમામ નાગરિકોનો મોદી પરનો વિશ્વાસ વધ્યો છે. વડાપ્રધાન મોદીની રેલીમાં આ વિશ્વાસ જોવા મળશે.


Google NewsGoogle News