Get The App

કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા 1 - image


Pahalgam Terrerist Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં છે. જ્યાં આ મુદ્દે મહત્ત્વની ચર્ચા માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે (24 એપ્રિલ) એક સર્વદળીય બેઠક બોલાવી છે. સરકારી સૂત્રોના અનુસાર, આ મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પહલગામ હુમલાથી જોડાયેલા મુદ્દાઓ, જેવા હાલની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. જો કે, સરકાર તરફથી હજુ સુધી આ બેઠકને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં મંગળવારે આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. તેવામાં કેન્દ્ર સરકાર સતત આતંક પર સકંજો કસવા અને આ હુમલાની જવાબી કાર્યવાહી માટે પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે.

CCS બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય

આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહી માટે બુધવારે પીએમ આવાસ પર કેબિનેટ સમિતિની (CCS) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેની માહિતી આપી છે.

કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા 2 - image

Tags :