હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 6 લોકો જીવતા ભૂંજાયા, ત્રણ ગંભીર

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 6 લોકો જીવતા ભૂંજાયા, ત્રણ ગંભીર 1 - image


massive broke out in Hyderabad : હૈદરાબાદમાં એક મોટી દુર્ઘટના બની છે જેમા એક એપાર્ટમેન્ટમાં ભીષણ લાગતા છ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે.

આ ઘટના હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં બની હતી

તેલંગાણાના હૈદરાબાદમાં આજે સવારે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડિંગમાં સ્થિત એક વેરહાઉસમાં લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.  પ્રાથમિક વિગતો અનુસાર આ ઘટના હૈદરાબાદના નામપલ્લી વિસ્તારમાં બની હતી. અહીં એક કારના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નજીકમાં રાખેલા કેમિકલમાં આગ લાગી હતી. હાલ 3ની હાલત ગંભીર છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હૈદરાબાદમાં નામપલ્લીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, 6 લોકો જીવતા ભૂંજાયા, ત્રણ ગંભીર 2 - image


Google NewsGoogle News