માઓવાદીઓએ વિસ્ફોટ કરી રેલવે ટ્રેકને ઉડાવી નાખ્યું, હાવડા-મુંબઈ રુટ પર ટ્રેનોની અવર-જવર ઠપ

ભાકપા(માઓવાદી) એ બંધની જાહેરાત કરી હતી, કદાચ એ લોકોએ જ આ વિસ્ફોટ કર્યો હોવાની ચર્ચા

મોટી સંખ્યામાં મુસાફરો રઝળી પડ્યાં

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
માઓવાદીઓએ વિસ્ફોટ કરી રેલવે ટ્રેકને ઉડાવી નાખ્યું, હાવડા-મુંબઈ રુટ પર ટ્રેનોની અવર-જવર ઠપ 1 - image

image : Twitter




Jharkhand Railway news | ઝારખંડના ચાઈબાસા ક્ષેત્રના ગોઈલકેરા-પોસૈતા રેલવે સ્ટેશન વચ્ચે કારો બ્રિજ નજીક રેલવેફાટક પર ભયંકર વિસ્ફોટ કરાયાની માહિતી મળી છે. અહેવાલ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરી આ ટ્રેકને ઉડાવી નાખ્યું હતું જેના લીધે હાવડા-મુંબઈ વચ્ચેની રેલવે લાઈન પર ટ્રેનોની અવર-જવર ઠપ થઈ ગઈ છે. 

રેલવે અધિકારીઓએ ઘટનાની પુષ્ટી કરી 

માહિતી અનુસાર 22 ડિસેમ્બરે ભાકપા(માઓવાદી) એ ભારત બંધની જાહેરાત કરી હતી. એવી આશંકા છે કે આ બંધની અસર દેખાય એટલા માટે જ કદાચ માઓવાદીઓ દ્વારા આ કૃત્ય કરાયું હતું. માઓવાદીઓએ ગુરુવારે રાતે 10 વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી છે. આ ઘટનાની જાણ થતાં જ શાલીમાર કુર્લા એક્સપ્રેસને ગોઈલકેરા સ્ટેશને જ અટકાવી દેવામાં આવી હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. 

માઓવાદીઓએ વિસ્ફોટ કરી રેલવે ટ્રેકને ઉડાવી નાખ્યું, હાવડા-મુંબઈ રુટ પર ટ્રેનોની અવર-જવર ઠપ 2 - image


Google NewsGoogle News