કોંગ્રેસના દિગ્ગજ નેતા ચીન અંગે ફરી એવું કંઈક બોલ્યા કે થઇ ગયો વિવાદ, માફી માગવી પડી

Updated: May 29th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના દિગ્ગજ નેતા ચીન અંગે ફરી એવું કંઈક બોલ્યા કે થઇ ગયો વિવાદ, માફી માગવી પડી 1 - image


Mani Shankar Aiyar: મણિશંકર અય્યર ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ નેતાએ મંગળવારે 1962ના ચીની આક્રમણનો ઉલ્લેખ કરતા પહેલા 'કથિત' શબ્દનો ઉપયોગ કર્યો હતો અને બાદમાં તેના માટે માફી માંગી હતી. 

પહેલા વિવાદિત નિવેદન આપ્યું અને બાદમાં માફી માંગી

કોંગ્રેસ નેતા મણિશંકર અગાઉ પણ પોતાના નિવેદનને કારણે વિવાદમાં ફસાયા હતા. ત્યારે હવે મંગળવારે સાંજે ફોરેન કોરોસ્પોન્ડન્ટ્સ ક્લબમાં આયોજિત એક કાર્યક્રમના વીડિયો અનુસાર, અય્યરે એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે, 'ઓક્ટોબર 1962માં ચીનીઓએ કથિત રીતે ભારત પર હુમલો કર્યો હતો.' આ પછી એક નિવેદનમાં અય્યરે કહ્યું હતું કે, 'ચીની હુમલા પહેલા ભૂલથી 'કથિત' શબ્દનો ઉપયોગ કરવા બદલ હું માફી માંગુ છું.'

અય્યરનો વિવાદો સાથે જૂનો સંબંધ

નોંધનીય છે કે અય્યરનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. આ મહિનાની શરૂઆતમાં, તેમના એક ઇન્ટરવ્યુનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે 'પાકિસ્તાન એક સન્માનિત રાષ્ટ્ર છે અને તેની પાસે પરમાણુ બોમ્બ પણ છે, તેથી ભારતે તેની સાથે વાતચીત કરવી જોઈએ.

અય્યરની ઉંમર ધ્યાનમાં રાખવી જોઈએ: જયરામ

વિવાદને જોતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, 'અય્યરની ઉંમરને ધ્યાનમાં રાખીને છૂટ આપવી જોઈએ. કોંગ્રેસે તેમના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. અય્યરે કહ્યું, '20 ઓક્ટોબર, 1962ના રોજ ભારત પર ચીનનો હુમલો વાસ્તવિક હતો. મે 2020ની શરૂઆતમાં લદ્દાખમાં ચીની ઘૂસણખોરી પણ વાસ્તવિક હતી, જેમાં આપણા 40 સૈનિકો શહીદ થયા હતા અને સ્થિતિ બગડી હતી.


Google NewsGoogle News