મુસ્લિમોને OBC અનામત કોર્ટે રદ કરી, મમતા બેનર્જીએ કહ્યું- 'હું નહીં માનું', તો ગૃહ મંત્રીએ આપ્યો જવાબ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
મુસ્લિમોને OBC અનામત કોર્ટે રદ કરી, મમતા બેનર્જીએ કહ્યું- 'હું નહીં માનું', તો ગૃહ મંત્રીએ આપ્યો જવાબ 1 - image


Image Source: Twitter

West Bengal OBC Reservation of Muslims Cancelled : લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરી દીધી છે. હવે આ મુદ્દે સીએમ મમતા બેનર્જી બળવો કરવા પર ઉતરી ગયા છે. સીએમ બેનર્જી કોર્ટના નિર્ણયને સ્વીકારવા તૈયાર નથી તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, OBCનો દરજ્જો અને OBC સર્ટિફિકેટ રદ કરવાનો કોર્ટનો નિર્ણય તેમને સ્વીકાર્ય નથી. દમદમ લોકસભા મતવિસ્તારના ખડદહમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મમતા બેનર્જીનું વલણ ખૂબ જ આક્રમક રહ્યું હતું. કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને કારણે બંગાળમાં લગભગ 5 લાખ OBC સર્ટિફિકેટ રદ થઈ જશે.

હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો સંકેત

મમતા દીદીએ હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો સંકેત આપ્યો છે. આ સાથે જ પોતાનો અવાજ ઉઠાવતા મમતા બેનર્જીએ કહ્યું કે હું કોર્ટનું સન્માન કરું છું પરંતુ મુસ્લિમોને OBC આરક્ષણથી દૂર રાખવાના નિર્ણયનો હું સ્વીકાર નહીં કરીશ. બીજેપી નેતા અમિત માલવિયાએ પોતાના એક્સ હેન્ડલ પર મમતા બેનર્જીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ કોર્ટની વાત માનવાનો સ્પષ્ટ ઈનકાર કરતા નજર આવી રહ્યા છે. 

OBC અનામત પર મમતા બેનર્જીનું આક્રમક વલણ

મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં OBC અનામત ચાલું રહેશે કારણ કે, તેના સબંધિત બિલ બંધારણની રૂપરેખાની અંદર પસાર કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે, સરકારે ડોર ટુ ડોર સર્વે કર્યા બાદ બિલ બનાવ્યું હતું અને તેને મંત્રીમંડળ અને વિધાનસભાએ પાસ કર્યું હતું હતું. જો જરૂર પડશે તો હું આ આદેશ સામે સુપ્રીમ કોર્ટ સુધી જઈશ.

OBC અનામત રોકવાનો આરોપ પણ ભાજપ પર

સીએમ મમતા બેનર્જીએ OBC અનામત રોકવા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને OBC અનામતને રોકવાનું કાવતરું ઘડી રહી છે. તેમણે કહ્યું કે, આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે કેટલાક લોકોએ કોર્ટમાં જઈને OBCના હિત પર પ્રહાર કરવા માટે અરજીઓ દાખલ કરી હતી. ભાજપ આવી હિંમત કેવી રીતે બતાવી શકે? આ સાથે જ દીદીએ ભાજપને સવાલ કર્યો કે સરકાર તેના દ્વારા ચાલાવવામાં આવે કે કોર્ટ દ્વારા. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે સંદેશખાલીમાં પોતાના કાવતરામાં નિષ્ફળ ગયા બાદ ભાજપ હવે નવું ષડયંત્ર રચી રહી છે.

અમિત શાહનો દીદી પર પલટવાર

આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બંગાળની મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કરતા નજર આવ્યા છે. તેમણે બુધવારે મમતા બેનર્જી પર વોટ બેંકની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરીને અને ઘૂસણખોરોને રાજ્યની વસ્તીને બદલવાની મંજૂરી આપીને પાપ કરવાનો આરોપ લગાવ્યો છે. શાહે એમ પણ કહ્યું કે, બંગાળમાં ભાજપની 30 લોકસભા બેઠકો જીત્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ સરકાર વિખેરાઈ જશે અને મમતા બેનર્જી સરકારની વિદાય થઈ જશે.

મમતા બેનર્જી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, બંગાળ ઘૂસણખોરો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ઘૂસણખોરીને કારણે રાજ્યની જનસંખ્યા બદલાઈ રહી છે અને તેની અસર માત્ર બંગાળ પર જ નહીં પરંતુ સમગ્ર દેશ પર પડી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઘૂસણખોરો TMCની વોટ બેંક છે.

શાહે કહ્યું કે મમતા બેનર્જી પોતાની વોટ બેંકની તુષ્ટિકરણ માટે નાગરિકતા સંશોધન કાયદા (CAA) નો વિરોધ કરી રહી છે. શાહે એ પણ કહી દીધું કે, TMCને ઘૂસણખોરો પ્રત્યે સ્નેહ છે અને CAA પર પ્રહાર કરે છે ઘૂસણખોરો TMCની 'વોટ બેંક' છે.



Google NewsGoogle News