Get The App

મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીના નામ નક્કી! મોટા મંત્રાલયોને લઈને મથામણ, જાણો સંભવિત ફોર્મ્યુલા

Updated: Nov 28th, 2024


Google News
Google News
મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીના નામ નક્કી! મોટા મંત્રાલયોને લઈને મથામણ, જાણો સંભવિત ફોર્મ્યુલા 1 - image


Maharashtra Politics: દિલ્હીમાં આજે સાંજે મહાયુતિના ટોચના ત્રણેય નેતાઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠક પહેલાં સૂત્રોએ પુષ્ટિ કરી છે કે દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનવાનું નક્કી છે, જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બની શકે છે.

મહાયુતિની આ બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના સહ-પ્રભારી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી છે. સૂત્રોના અનુસાર, આજે રાત્રે મહાયુતિની બેઠકમાં જ સરકારની રચનાની ફોર્મ્યુલા નક્કી થઈ જશે.

શિંદેની નજર આ મંત્રાલયો પર

એકનાથ શિંદે શહેર વિકાસ અને MSRDC મંત્રાલય પોતાની પાસે રાખશે. આ સિવાય, શિંદે રાજસ્વ, કૃષિ, સ્વાસ્થ્ય, ગ્રામ્ય વિકાસ, ઉદ્યોગ અને સામાજિક ન્યાય જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોની માગ કરી શકે છે. આ સિવાય શિંદે કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદની માગ કરી શકે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓ તો સૂટ પહેરીને તૈયાર હતા, વધુ પડતા આત્મવિશ્વાસના કારણે હાર્યા: MVAમાં જ તિરાડ!

શિવસેનાના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે એકનાથ શિંદેને કેટલાક મોટા વિભાગોની સાથે કેબિનેટનો ભાગ બનાવવા જોઈએ, જે મહારાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત કરવામાં ફાયદાકારક રહેશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે, સરકારમાં એકનાથ શિંદની ગેરહાજરીથી પાર્ટીના ધારાસભ્યોને સરકારમાં જરૂરી ભાગીદારી અને ફંડ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.

અજિત પવાર ઇચ્છે છે આ વિભાગ

આ પ્રકારે અજિત પવારની પણ નજર નાયબ મુખ્યમંત્રી પદની સાથે નાણા મંત્રાલય પર છે. ભાજપ નેતૃત્વ નાણા અને યોજના વિભાગ પોતાની પાસે રાખવા ઇચ્છે છે. અજિત પવાર કૃષિ, ખાદ્ય અને નાગરિક પુરવઠો, મહિલા અને બાળ કલ્યાણ, ચિકિત્સા શિક્ષા, રમત, ગ્રામ્ય વિકાસ, સહકારિતા અને માર્કેટિંગ જેવા મંત્રાલયો પોતાની પાસે રાખવા પર ભાર આપશે.

આ વચ્ચે ભાજપ ગૃહ વિભાગ, આવાસ અને શહેરી વિકાસ, નાણા, સિંચાઈ, ઉર્જા, પીડબ્લ્યુડી, પર્યાવરણ અને પ્રવાસન, સંસદીય મામલા, કૌશલ વિકાસ અને સામાન્ય પ્રશાસન (GAD) જેવા મંત્રાલયો પોતાના કોટામાં રાખવા ઇચ્છે છે.

આ પણ વાંચો : ચોથીવાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હેમંત સોરેન, શપથ સમારોહમાં 'INDIA' બ્લોકના દિગ્ગજો રહ્યા હાજર

કયો ફોર્મ્યુલા અપનાવાશે?

સૂત્રોના અનુસાર, સરકારમાં વિભાગોની વહેંચણીમાં દરેક સાથી પક્ષોની ભાગીદારી નક્કી કરવા માટે છ ધારાસભ્યો એક મંત્રી પદના ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવશે. તેના અનુસાર, ભાજપની પાસે અંદાજિત 21થી 22 મંત્રી પદ, શિવસેના જૂથને 10થી 12 મંત્રાલય અને અજિત પવારની NCPને 8થી 9 મંત્રાલય મળી શકે છે. મહારાષ્ટ્રમાં મંત્રી પદના કુલ કોટા મુખ્યમંત્રી પદ સહિત 43થી વધુ ન હોવા જોઈએ.

Tags :
eknath-shindeajit-pawarMaharashtra

Google News
Google News