Get The App

'તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો...', શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા

Updated: Mar 23rd, 2025

GS TEAM


Google News
Google News
'તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો...', શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા 1 - image


Maharashtra News: NCP (SP) અધ્યક્ષ શરદ પવારે શનિવારે પુણે સ્થિત વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યુટમાં પોતાના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પર શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે તીખી ટિપ્પણી કરી છે. રાઉતે કહ્યું કે, શિવસેના (યુબીટી) ના નેતા પાર્ટી છોડીને જાય છે તેવા લોકો સાથે કોઈ સંપર્ક નથી રાખતાં. તેમણે આરોપ લગાવ્યો કે, અજિત પવાર અને તેમના જૂથે મહારાષ્ટ્રને દગો આપ્યો છે. શિવસેના (યુબીટી) એનસીપી (એસપી) અને કોંગ્રેસ સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે. 

શરદ પવાર, તેમના પક્ષના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ અને હરીફ NCP નેતાઓ અજિત પવાર અને દિલીપ વાલસે પાટીલ સરકાર દ્વારા માન્ય સંશોધન સંસ્થા વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકનો ભાગ હતી જ્યાં ખાંડ ઉદ્યોગ અને ખેડૂતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ 'લોકો નહીં પણ નેતાઓ જાતિવાદી હોય છે...' નીતિન ગડકરીના નિવેદનથી રાજકારણમાં હડકંપ

રાઉત ગુસ્સે થયા

સંજય રાઉતે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાનીવાળી હરીફ શિવસેનાના નેતાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'તેમની વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે... અમે શિવસેના છોડનારા કોઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ પણ નથી કરતા. જે પ્રકારે તેમણે મહારાષ્ટ્રની જનતાને દગો આપ્યો છે અને પીઠમાં છરો ભોંક્યો... અમે તેમની નજીક પણ નહીં જઈએ.'

ગત મહિને પણ રાઉતે શરદ પવાર દ્વારા 2022માં શિવસેનાને વિભાજિત કરનારા શિંદેને સન્માનિત કરવા અને તેમની પ્રશંસા કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેમની (એનસીપી જૂથના નેતા) પાસે વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યૂટ, વિદ્યા પ્રતિષ્ઠાન, રાયત શૈક્ષણિક સંસ્થા જેવી સંસ્થાઓ છે. અમારી પાસે એવું કંઈ નથી. અમે (પૂર્વ પાર્ટી સહયોગી સાથે) આવી બેઠકો નથી કરતાં અને આવી બેઠકની સંભાવના હોય તો અમે તેનાથી બચીએ છીએ. અમે રાજકીય સંવાદ કરવામાં વિશ્વાસ નથી કરતાં. અમે અમારી પાર્ટી તોડનારા સામે લડતા રહીશું અને તેમને પાઠ ભણાવીશું.'

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર લોકસભાનું સીમાંકન 25 વર્ષ માટે અટકાવે...6 રાજ્યોના 14 પક્ષોનો એક સૂર

સુપ્રીયા સૂલેનું નિવેદન

આ દરમિયાન, પાર્ટીના સહયોગી જયંત પાટીલ અને તેમના પિતરાઈ ભાઈ અજિત પવાર વચ્ચે થયેલી બેઠક વચ્ચે પૂછવામાં આવ્યું, તો એનસીપી (એસપી) ની અધ્યક્ષ સુપ્રીયા સૂલેએ આ બેઠકને સામાન્ય બેઠક જણાવી. સૂલેએ કહ્યું કે, 'વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યુટ (વીએસઆઈ)માં તમામ પાર્ટીના લોકો સભ્ય છે. ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ખાંડ ઉદ્યોગ, ખેડૂત અને સંબંધિત વ્યવસાયો તેમજ નવી ટેક્નોલોજી સાથે જોડાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ એક એકેડેમિક બેઠક છે, જેમાં કોઈ રાજકીય વિચારધારા પર ચર્ચા નથી કરવામાં આવતી.'

નોંધનીય છે કે, જયંત પાટીલના અજિત પવારના જૂથમાં સામેલ થવાની અટકળો લાંબા સમયથી લગાવવામાં આવી રહી છે. જોકે, પાટીલે આ અફવાઓનું ખંડન કર્યું છે. બીજીબાજું અજિત પવારે કહ્યું કે, 'અમે તમામ વીએસઆઈના સભ્ય છીએ અને અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ જેવી ચીન સાથે જોડાયેલા વિવિધ મુદ્દા પર ચર્ચા કરવા માટે મુલાકાત કરી હતી.'

Tags :