શિંદે-ભાજપનું ટેન્શન વધારતાં પોસ્ટર લાગ્યાં મહારાષ્ટ્રમાં, ગણપતિ પંડાલમાં જોરશોરથી પ્રચાર

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
શિંદે-ભાજપનું ટેન્શન વધારતાં પોસ્ટર લાગ્યાં મહારાષ્ટ્રમાં, ગણપતિ પંડાલમાં જોરશોરથી પ્રચાર 1 - image


Maharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. આ ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટી અત્યારથી જ કમર કસી રહી છે. આ દરમિયાન મહાયુતિમાં મુખ્યમંત્રી પદના દાવેદારને લઈને ખેંચતાણ પણ વધી રહી છે.

બારામતીમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારના ભાવી મુખ્યમંત્રીવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અખિલ ભારતીય તનુલવાડી વેશ સાર્વજનિક ગણેશ મંડળ પંડાલમાં અજીત પવારના ભાવી મુખ્યમંત્રીવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે અજીત પવારના ભાવી મુખ્યમંત્રીવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. આ પહેલાં પણ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. 

આ પણ વાંચોઃ શું ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડશે NCP? મહારાષ્ટ્રમાં ફરી અટકળો તેજ, આ 5 કારણો જવાબદાર

જેપી નડ્ડાએ આપ્યું મોટું નિવેદન

આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહારાષ્ટ્ર ભાજપ યુનિટને મહત્ત્વની સલાહ આપી છે. નડ્ડાએ ગઠબંધન સહયોગીઓની ચિંતાઓનું સમાધાન કરવા કર્યું છે. જેથી, ચૂંટણીમાં મહાયુતિને એકજૂટ અને મજૂબત રાખી શકાય. તેઓએ મહારાષ્ટ્ર ભાજપને મોટા ભાઈની ભૂમિકા ભજવવાનું કહ્યું છે. 

શનિવારે મુંબઈ પહોંચ્યા હતાં નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શનિવારે મુંબઈ ગયા હતાં. ત્યાં તેઓએ લાલબાગના રાજા ગણપતિના દર્શન કર્યાં હતાં. ત્યારબાદ, તેઓએ મુખ્યમંત્રી એકનાથ શિંદેના વર્ષા સ્થિત આવાસ અને બાદમાં માલાબાર હિલ્સમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સાગર સ્થિત આવાસ પર ગણેશોત્સવમાં પૂજા-અર્ચના કરી હતી.

આ પણ વાંચોઃ ‘આ લોકો ચૂંટણી જીતવા...’ બુરખા કાર્યક્રમ મુદ્દે શિંદે અને મોદીનો ઉલ્લેખ કરી બોલ્યા સંજય રાઉત

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આવાસ પર જેપી નડ્ડાએ રાજ્ય ભાજપ કોર કમેટીના સભ્ય સાથે વાત કરી હતી. આ દરમિયાન તેઓએ ચૂંટણીના પડકારો અને તૈયારીઓ વિશે જાણકારી લઈ મહાયુતિને મજબૂત કરવા માટે એક ટીમના રૂપે કામ કરવાની અપીલ કરી હતી.  


Google NewsGoogle News