Get The App

ચૂંટણી પર પ્રતિબંધ કે જેલ, આચાર સંહિતા ભંગ બદલ રાજકીય પક્ષો અને નેતાઓ સામે ચૂંટણી પંચ શું એક્શન લઈ શકે?

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દરેક ચૂંટણીમાં આચારસંહિતા લાગુ પડે છે

લોકસભા ચૂંટણીની તરીકો જાહેર થયા બાદ આચાર સંહિતા અમલમાં આવશે

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પર પ્રતિબંધ કે જેલ, આચાર સંહિતા ભંગ બદલ રાજકીય પક્ષો અને નેતાઓ સામે ચૂંટણી પંચ શું એક્શન લઈ શકે? 1 - image


Code of conduct in election 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર થઇ ચૂકી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ચૂંટણીની આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારો, તમામ ચૂંટણીઓ આચારસંહિતાના દાયરામાં આવે છે. 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પછી, આદર્શ આચાર સંહિતા અમલમાં આવશે, એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહેશે.

અન્ય ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે 

એક અંદાજ મુજબ આ વખતે લોકસભાની ચૂંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે. આ ઉપરાંત લોકસભાની સાથે ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશની વિધાનસભા માટે પણ ચૂંટણી યોજાશે, તેમજ આ ચૂંટણીઓની તારીખો પણ આજે જાહેર કરવામાં આવશે. 

આચાર સંહિતા શું છે?

જ્યારે પણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે, ત્યારે એક આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે, જેની મદદથી ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને મુક્ત રીતે થઈ શકે છે. આદર્શ આચારસંહિતા એટલે કે ચૂંટણી પંચની સૂચનાઓ જેનું દરેક પક્ષે ચૂંટણીના અંત સુધી પાલન કરવાનું રહેશે. આ અંતર્ગત કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે, જેનું સંબંધિત રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાલન કરવાનું હોય છે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે ચૂંટણી આચારસંહિતા અમલમાં આવે છે અને ચૂંટણીના સમાપન સુધી ચાલુ રહે છે.

આચારસંહિતાનું પાલન કરવામાં ન આવે તો શું થાય છે?

જો કોઈપણ રાજકીય પક્ષ અથવા રાજકીય પક્ષના કોઈપણ ઉમેદવાર આચાર સંહિતાનું પાલન ન કરે તો તેની સામે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જે મુજબ ઉમેદવારને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરી શકાય છે. જો જરૂરી હોય તો ફોજદારી કેસ પણ નોંધી શકાય છે, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરવા પર જેલ પણ થઈ શકે છે.

રાજકીય બેઠકો સંબંધિત નિયમો

- પોલીસ અધિકારીઓને મીટિંગના સ્થળ અને સમય વિશે અગાઉથી માહિતી આપવાની રહેશે 

- સભા સ્થળે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવવાની રહેશે 

- પક્ષો અથવા ઉમેદવારોએ અગાઉથી ખાતરી કરવાની રહેશે કે તેઓએ પસંદ કરેલ સ્થાન પર પ્રતિબંધ છે કે નહી

- સભા આયોજકોએ વિક્ષેપ પાડનારાઓ વિરોધની કાર્યવાહી દરમિયાન પોલીસને મદદ કરવાની રહેશે 

શાસક પક્ષ માટે નિયમો

- મંત્રીઓએ સત્તાવાર પ્રવાસ દરમિયાન ચૂંટણી પ્રચારનું કામ કરવું નહી

- કામ માટે સરકારી મશીનરી અને કર્મચારીઓનો ઉપયોગ કરવો નહી

- સરકારી વિમાનો અને વાહનોનો ઉપયોગ પક્ષના હિતોને પ્રોત્સાહન આપવા માટે થવો જોઈએ નહી

- હેલિપેડ પર ઈજારો ન રાખવો

- રેસ્ટ હાઉસ, પોસ્ટ બંગલો કે સરકારી રહેઠાણો પર પણ કોઈ ઈજારો ન રાખવો

- તેમજ આ જગ્યાઓનો ઉપયોગ પ્રચાર કાર્યાલય માટે ન કરવો

- સરકારી નાણા પર કરેલા કામની સિદ્ધિની જાહેરાત કરવાની નહી

- મંત્રીઓ જ્યારે સર્કિટ હાઉસમાં રોકાશે ત્યારે તેમની સત્તાવાર મુલાકાતો પર ગાર્ડ તૈનાત કરવામાં આવશે

- કેબિનેટ બેઠક યોજવી નહી

- ટ્રાન્સફર અને પોસ્ટિંગના કિસ્સામાં કમિશનની પૂર્વ મંજૂરી જરૂરી છે

અધિકારીઓ માટે નિયમો

- સરકારી નોકરો કોઈપણ ઉમેદવારના ચૂંટણી, મતદાર કે કાઉન્ટિંગ એજન્ટ બની શકશે નહીં.

- પ્રવાસ દરમિયાન મંત્રી ખાનગી નિવાસસ્થાને રોકાશે તો અધિકારીઓ દ્વારા બોલાવવા છતાં પણ તેઓ ત્યાં જશે નહી

- અધિકારીઓએ ચૂંટણીના કામ માટે જતા મંત્રીઓની સાથે જવું નહી

- જેમની ડ્યુટી હશે તેમના સિવાય કોઈપણ સભા કે અન્ય રાજકીય કાર્યક્રમમાં ભાગ લઇ શકે નહી

- રાજકીય પક્ષોને બેઠકો માટે જગ્યા આપતી વખતે કોઈ ભેદભાવ રાખવો નહી

સામાન્ય નિયમો

- જ્ઞાતિઓ અને ધાર્મિક અથવા ભાષાકીય સમુદાયો વચ્ચે મતભેદ વધે અથવા નફરત ફેલાય તેવું કોઈપણ પક્ષે કરવું નહી

- રાજકીય પક્ષોની ટીકા માત્ર કાર્યક્રમો અને નીતિઓ સુધી સીમિત હોવી જોઈએ, અંગત નહી

- ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે પ્લેટફોર્મ તરીકે ઉપયોગ ન કરવો 

- મત મેળવવા માટે  લાંચ આપવી, મતદારોને હેરાન કરવા વગેરે જેવો ભ્રષ્ટાચારનો કરવો નહી

- માલિકની પરવાનગી વિના કોઈની દિવાલ, યાર્ડ અથવા જમીનનો ઉપયોગ કરવો નહી.

- કોઈપણ પક્ષની સભા કે સરઘસમાં અવરોધ ન કરવો

- રાજકીય પક્ષો કોઈની ધાર્મિક અથવા જ્ઞાતિની લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી કોઈ અપીલ જારી કરવી નહી

રેલી અંગેના નિયમો શું છે?

- રેલીનો સમય, શરૂ ક્યાંથી થશે, રૂટ અને સમાપ્તિનો સમય અંગે પોલીસને જાણ કરવી

- રેલીની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે ટ્રાફિકને અસર ન થાય

- જો રાજકીય પક્ષો એક જ દિવસે અને તે જ રૂટ પરથી રેલી કાઢવાનો પ્રસ્તાવ મૂકે તો પહેલા સમયની ચર્ચા કરી લેવી

- રસ્તાની જમણી બાજુએથી રેલી કાઢવાની રહેશે 

- રેલીમાં દુરુપયોગ થઈ શકે એવી કોઈ જ વસ્તુનો ઉપયોગ કરવો નહી

મતદાન દિવસ સંબંધિત નિયમો

- અધિકૃત કાર્યકર્તાને ઓળખ કાર્ડ આપવું

- મતદારોને આપવામાં આવેલી સ્લીપ સાદા કાગળ પર હોવી જોઈએ અને તેમાં કોઈ પણ ચિહ્ન, ઉમેદવાર અથવા પક્ષનું નામ ન હોવું જોઈએ

- મતદાનના દિવસે અને તેના 24 કલાક પહેલા કોઈને પણ દારૂનું વિતરણ ન કરવું 

- મતદાન મથકની નજીક સ્થાપિત કેમ્પમાં ભીડ ન કરવી

- મતદાનના દિવસે વાહન ચલાવવા માટે પરમિટ મેળવો.

ચૂંટણી પર પ્રતિબંધ કે જેલ, આચાર સંહિતા ભંગ બદલ રાજકીય પક્ષો અને નેતાઓ સામે ચૂંટણી પંચ શું એક્શન લઈ શકે? 2 - image


Google NewsGoogle News