સાવ નીચલી કક્ષાના ભાષણો, વાંધાજનક શબ્દોના પ્રયોગ, મોદીના ભાષણો જ ભાજપને ભારે પડ્યાં!

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
સાવ નીચલી કક્ષાના ભાષણો, વાંધાજનક શબ્દોના પ્રયોગ, મોદીના ભાષણો જ ભાજપને ભારે પડ્યાં! 1 - image


Lok Sabha Elections 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમ્યાન વિપક્ષોને અને તેમના નેતાઓ માટે જે શબ્દ પ્રયોગ કર્યા તેની માત્ર વિરોધ પક્ષના નેતાઓએ જ નહીં દેશના નાગરિકોએ પણ ટીકા કરી હતી કે મોદી અને તે પણ દેશના વડાપ્રધાન આવા શબ્દ પ્રયોગ સાથે હલકા વિચારો વ્યક્ત કરીને વિપક્ષો પર ઝેર ઓકે તે શોભાસ્પદ નથી, વડાપ્રધાન તો દેશના રોલ મોડેલ અને ફાધર ફિગર તરીકે જોવાતા હોય છે. તેમણે આ હદની નીચલી પાયરીએ જવું ન જોઈએ. એક કોંગ્રેસ નેતાએ તો એમ પણ પ્રતિક્રિયા આપી કે મોદી માનસિક બીમાર થઈ ગયા હોય તેમ લાગે છે. તેમને સારવારની જરૂર છે. મોદીના આવા ભાષણને લીધે મતદારોથી ભાજપથી દૂર થઈ ગયા હશે તે પણ ઘણા કારણો પૈકીનું એક કારણ હશે તેમ મનાય છે. મોદીએ ‘મ’થી શરૂ થતા જે શબ્દોનો હીન શૈલીમાં પ્રયોગ કર્યો હતો તેના પર નજર નાંખીએ

• મટન

જમ્મુ કાશ્મીરની પ્રચાર સભામાં મોદીએ વાયરલ બનેલ એક વીડિયોનો સંદર્ભ આપીને કહ્યું હતું કે રાહુલ ગાંધી બિહારમાં લાલુ પ્રસાદને ઘેર ગયા હતા. અને કઈ રીતે મટનની વાનગી બને તેનું નિદર્શન તેના ઘરના સભ્યોને કર્યું હતું. મોદીએ તે પછી કહ્યું હતું કે કોર્ટે જેને સજા આપી છે અને જે જામીન પર છે (લાલુ યાદવ) એવા ગુનેગારને ઘેર જઈને (રાહુલ) મટન બનાવવાની મજા લઈ રહ્યા છે. આવા વિડિયો પોતે જ (રાહુલ) વાઇરલ બનાવીને દેશના નાગરિકોને ચીઢવવાનું કામ કરે છે.

• મછલી

મોદીએ એ જ સભામાં ટોણો મારતી શૈલીમાં કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ માછલી ખાય છે એટલું જ નહીં તે નવરાત્રિના પવિત્ર તહેવારમાં તેની વિડિયો પણ વહેતી કરે છે. નવરાત્રિમાં નોન વેજ ખાવાનું બતાવીને તમે કોની ભાવનાને ઠેસ પહોંચાડો છે. અને કોને ખુશ કરવાનો ખેલ ખેલી રહ્યા છો તે હું જાણું છું.

• મુગલ

મોદીએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી અને તેજસ્વી માંસાહાર કરીને તેઓની મુગલ વિચારસરણીને પ્રદર્શન કરે છે પણ જનતા જયારે જવાબ આપશે ત્યારે શાહી ખાનદાનોના યુવરાજોને બેદખલ કરી દેતી હોય છે.

• મુસ્લિમ લીગ

ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં ભાજપની વિશાળ રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે જે કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી હતી તેની સાથે તો કેવા દિગ્ગજો જોડાયેલા હતા. આઝાદીની લડાઈ લડનારી કોંગ્રેસ તો | દાયકાઓ પહેલા સમાપ્ત થઈ ગઈ હવે જે કોંગ્રેસ બચી છે તેની પાસે દેશના હીત માટે કોઈ નીતિ નથી કે નથી રાષ્ટ્ર નિર્માણનું વિઝન... વર્તમાન કોંગ્રેસના ઘોષણા પત્ર પરથી મુસ્લિમ લીગ તરીકેની છાપ ઉપસી | આવે છે તેમ મોદીએ કહ્યું હતું.

• મુજરા

બિહારના પાટલીપુત્રમાં મોદીએ ભાષણ દરમ્યાન કહ્યું હતું કે ઈન્ડિયા આલાયંસને | વોટ બેંકની ગુલામી કરવી હોય તો ભલે કરે તેઓ તો તે માટે સ્વતંત્ર છે. તેઓ “મુજરા” કરે છે. હું એસ.સી., એસ.ટી. હું અને ઓબીસી આરક્ષણ માટે મક્કમતાથી ઉભો રહીશ.

• મંગલ સુત્ર

રાજસ્થાનમાં એક ચૂંટણી સભામાં મોદીએ બહેનોને ભડકાવતા કહ્યું કે કોંગ્રેસની નજર તમારા સોના પર છે. તેઓ તમારૂ મંગલ સુત્ર પણ છીનવી | લેશે. કેમ કે દરેકની પ્રોપર્ટીનો તેઓ સર્વે કરશે. બહેનો પાસે કેટલુ સોનું છે તેની તપાસ થશે. આદિવાસીઓ પાસે ચાંદી હોય છે તેનો પણ કોંગ્રેસ હિસાબ લેશે. સૌનુ હશે હશે? તે બહેનો પાસે તેન | હિસાબ માંગશે.

• મહાત્મા ગાંધી

મોદીએ એક ઈન્ટરવ્યુમાં એવું કહ્યું કે મહાત્મા ગાંધીને ૧૯૮૨માં તેમના પર એક વિદેશીએ ફિલ્મ બનાવી તે પહેલા વિશ્વમાં તેની કોઈ ખાસ પહેચાન ન હોતી. અગાઉના દાયકાઓમાં જેઓનું શાસન હતું તેની એવી જવાબદારી નહોતી કે પુરી દુનિયા મહાત્મા ગાંધીને જાણે. મોદીએ તે પછી ઉમેર્યું કે દુનિયા માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા વિશે જાણે છે. મહાત્મા ગાંધી કોઈથી કમ નહોતા. તે પછી તેમની સરકારે મહાત્મા ગાંધીજી માટે શું કર્યું તે જણાવ્યું હતું. મોદીએ એવા કેટલાયે તેમના સ્તરની હસ્તીને ન શોભે તેવા શબ્દ પ્રયોગ કર્યા હતા.

સાવ નીચલી કક્ષાના ભાષણો, વાંધાજનક શબ્દોના પ્રયોગ, મોદીના ભાષણો જ ભાજપને ભારે પડ્યાં! 2 - image


Google NewsGoogle News