For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ડમી ઉમેદવારો, તેઓ કેવી રીતે વોટ બેંકમાં ઉથલપાથલ મચાવે છે?

Updated: Apr 21st, 2024

ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ડમી ઉમેદવારો, તેઓ કેવી રીતે વોટ બેંકમાં ઉથલપાથલ મચાવે છે?

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થયું હતું. હવે આગળના તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોના ઉમેદવારો નામાંકન દાખલ કરી રહ્યા છે. ત્યારે તેની સાથે ડમી ઉમેદવારો (Dummy Candidates) પણ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ચાલો જાણીએ ડમી ઉમેદવારની શું ભૂમિકા હોય છે અને તેને કેમ ઉતારવામાં આવે છે.

વિકલ્પ તરીકે ડમી ઉમેદવાર ચૂંટણી લડી શકે છે

આમ, તો ડમીનો ખરેખર મતલબ કોઈ માણસ કે વસ્તુ જેવી જ સમાન દેખાતી વસ્તુ હોય છે. પણ ચૂંટણીમાં આનો અલગ અર્થ નીકળે છે. રાજકારણમાં જોવામાં આવે તો, રાજકીય પક્ષો કોઈપણ બેઠક પર તેમના જાહેર કરેલા ઉમેદવારોના વિકલ્પ તરીકે અન્ય ઉમેદવાર ઉભા કરે છે. તેની પાછળનું કારણ કોઈ ટેકનિકલ અથવા કાયદાકીય કારણોસર સત્તાવાર ઉમેદવારનું નામાંકન રદ થાય, તો એ સ્થિતિમાં પક્ષ પાસે વિકલ્પ તરીકે અન્ય ડમી ઉમેદવાર ચૂંટણી લડી શકે છે. ડમી ઉમેદવાર એ બહુ જૂની અને પ્રચલિત પરંપરા છે. જેમાં સબળ ઉમેદવારની સામે હરિફ ઉમેદવાર દ્વારા સમાન નામોવાળા અન્ય અપક્ષ કે નાની પાર્ટીના ઉમેદવારોને ઉતારવામાં આવે છે. જ્યારે હાર-જીતનું માર્જીન અત્યંત પાતળું હોય અથવા તો પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય, ત્યારે આ પ્રકારના ઉપાયો અજમાવવામાં આવે છે. 

ડમી ઉમેદવાર અપક્ષ ઉમેદવાર પણ કહેવાય 

અહી એ વાત પણ તમારે જાણવી જરુરી રહેશે કે ડમી ઉમેદવારને અપક્ષ ઉમેદવાર પણ કહેવામાં આવે છે. રાજકીય પક્ષો તેનો ઉપયોગ આર્થિક સંસાધનો વધારવા માટે કરે છે. અગાઉની તુલનામાં, ચૂંટણી પંચ ચૂંટણીને લઈને વધુ કડક બન્યું છે. ચૂંટણી પંચે ઉમેદવારો માટે ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરવા માટે એક રકમ નક્કી કરી છે. પરંતુ નિયત ચૂંટણીની રકમ ઉમેદવારો માટે ઊંટના મોઢામાં ટીપા સમાન છે. તેથી, સામાન્ય રીતે ઉમેદવારો તેમના સૌથી વિશ્વાસુને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉતારે છે. તેમના નામે સંસાધનોનો ઉપયોગ કરો. જેમાં પક્ષના ઉમેદવારો ડમી ઉમેદવારોની મદદથી પોતાના માટે વાહન, કાર્યકરો માટે ભોજન, ડીઝલ અને પેટ્રોલ વાઉચર તેમજ ટેન્ટની વ્યવસ્થા કરે છે. આમાં કોઈ કાનૂની અડચણ નથી.

જુઓ 2014નું ઉદાહરણ

2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી અને તે સમયના સીટિંગ ધારાસભ્ય અજિત જોગીએ લોકસભા ચૂંટણી માટે એવો દાવ ચાલ્યો હતો કે સૌ દંગ રહી ગયા હતા. તેમની સામે ભાજપ તરફથી ચંદુલાલ સાહુ ઉમેદવાર ઉભા હતા. અજિત જોગીએ આ ચંદુ લાલને હરાવવા માટે ચંદુ નામના 10 અપક્ષ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ચંદુ લાલ સાહુના નામના જ સાત ઉમેદવારો હતા. ત્રણ ઉમેદવારોના નામ ચંદુરામ સાહુ હતા. 

અજિત જોગીનો વિરોધી બેલ્ટમાં મળનારા મતોનું વિભાજન કરવાનો હેતુ સ્પષ્ટ હતો. આ યુક્તિ મહાસમુંદના આદિવાસી બેલ્ટમાં કામ આવી હોત, પરંતુ અજિત જોગીની બુદ્ધિ આખરે જનતાની સામે નિષ્ફળ ગઈ હતી. આ તમામ ઉમેદવારોને કુલ 67208 મત મળ્યા હતા. તેમ છતાં કોંગ્રેસના અજીત જોગી ભાજપના ચંદુલાલ સાહુ સામે લગભગ 1 હજાર મતોથી ચૂંટણી હારી ગયા હતા. ભાજપના ચંદુ લાલ સાહુને 4 લાખ 87 હજાર 852 વોટ મળ્યા હતા, જ્યારે અજીત જોગીને 4 લાખ 86 હજાર 864 વોટ મળ્યા હતા. 

Article Content Image

Gujarat