આ તો સંકલ્પ પત્ર નહીં, જુમલા પત્ર છેઃ ભાજપના ચૂંટણી ઢંઢેરા મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News
આ તો સંકલ્પ પત્ર નહીં, જુમલા પત્ર છેઃ ભાજપના ચૂંટણી ઢંઢેરા મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (Narendra Modi)એ આજે ભાજપના હેડક્વાર્ટર ખાતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ સાથે વડાપ્રધાન મોદીએ ચૂંટણી ઢંઢેરામાં લખેલા મુખ્ય મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં યુસીસીનો અમલ, મફત વીજળી અને ત્રણ કરોડ નવા મકાનો બનાવવાની ગેરંટી સામેલ છે. ભાજપના આ ચૂંટણી ઢંઢેરાને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે. પરંતુ હવે આ ચૂંટણી ઢંઢેરાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાની પ્રતિક્રિયા સામે આવી છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં બે શબ્દો ગાયબ: રાહુલ ગાંધી

ભાજપે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે 'X' પર લખ્યું 'ભાજપના મેનિફેસ્ટો અને નરેન્દ્ર મોદીના ભાષણમાંથી બે શબ્દો ગાયબ છે - મોંઘવારી અને બેરોજગારી. ભાજપ લોકોના જીવન સાથે જોડાયેલા સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવા માંગતી નથી. I.N.D.I.A. ગઠબંધનની યોજના એકદમ સ્પષ્ટ છે, 30 લાખ પદ પર ભરતી અને દરેક શિક્ષિત યુવાનોને નોકરી. આ વખતે યુવાનો મોદીની જાળમાં ફસાવાના નથી, હવે તેઓ કોંગ્રેસના હાથ મજબૂત કરશે અને દેશમાં રોજગાર ક્રાંતિ લાવશે.'


સંકલ્પ પત્ર નહીં, બંધારણ બદલો પત્ર છે: પ્રિયંકા ગાંધી

ભાજપના ચૂંટણી ઢંઢેરા પર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, 'ભાજપનો ચૂંટણી ઢંઢેરો માત્ર દેખાડો છે. તેમનો વાસ્તવિક ઢંઢેરો 'બંધારણ બદલો પત્ર' છે. ભાજપના નેતાઓ અને ભાજપના ઉમેદવારો 'બંધારણ બદલો' પત્રો લઈને ફરે છે અને તેમના ભાષણોમાં બાબાસાહેબના બંધારણને બદલવાની વાત કરી રહ્યા છે. યાદ રાખો, આ તમામ રાષ્ટ્રવિરોધી, અસામાજિક, લોકશાહી વિરોધી કાવતરા ભાજપે નીચેથી શરૂ કર્યા છે. બાબા સાહેબનું બંધારણ એ ભારતનો આત્મા છે. આપણું બંધારણ દેશના કરોડો લોકોને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે. બંધારણ સામાન્ય લોકોને લોકશાહીના કેન્દ્રમાં રાખે છે. આજે આપણે સૌએ એકજૂથ થઈને ભાજપના બંધારણ પરિવર્તન મિશનને નકારી કાઢવું ​​પડશે અને સ્પષ્ટપણે કહેવું પડશે કે દેશ બંધારણથી ચાલશે અને આપણે સૌ સાથે મળીને બંધારણ બદલવાનો ઈરાદો ધરાવનારાઓને હરાવીશું.'

મલ્લિકાર્જુન ખડગેએ આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પ્રહાર કરતા કહ્યું હતું કે, 'જૂની ગેરંટી માટે કોઈ જવાબદારી નથી, ખાલી શબ્દોની છેડછાડ છે. મોદીની ગેરંટી = જુમલાની વોરંટી.'


કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા


ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે, 'ભાજપે પોતાના વચન નિભાવ્યા નથી. આ સંકલ્પ પત્ર નહીં જુમલા પત્ર છે. કાળુ ધન પરત લાવવાના વાયદાનું શું થયું, સ્માર્ટ સિટીના વાયદાનું શું થયું? ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી રૂપિયા ખંખેરવામાં આવ્યા છે. ભાજપે 2014ના વચનો પણ પૂરા કર્યા નથી. આદિવાસીઓ માટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કંઈ નથી.'

ભાજપે માફી માંગવી જોઈએ: પવન ખેડા

કોંગ્રેસના નેતા પવન ખેડાએ ભાજપના ચૂંટણી ઢંઢેરા સામે વાંધો વ્યક્ત કર્યો છે. પવન ખેડાએ કહ્યું હતું કે, 'અમને ભાજપના ચૂંટણી ઢંઢેરાના નામ સામે વાંધો છે. ભાજપના ચૂંટણી ઢંઢેરાનું નામ માફી હોવું જોઈએ. છેલ્લા 10 વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ ભાજપે તમામ ખેડૂતો, મજૂરો અને સૈનિકોની માફી માંગવી જોઈએ.'

સુપ્રિયા શ્રીનેતે ભાજપના ચૂંટણી ઢંઢેરાને જુમલો ગણાવ્યા

કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે ભાજપના ચૂંટણી ઢંઢેરાને જુમલો ગણાવ્યા છે. તેમણે કહ્યું કે,'ચૂંટણી ઢંઢેરામાં નોકરી શબ્દ માત્ર બે વાર જ લખવામાં આવ્યો છે. ખેડૂતોના MSPનો કોઈ ઉલ્લેખ નથી. મહિલાઓ, અનામત અને આતંકવાદ જેવા મુદ્દાઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યા છે. મેનિફેસ્ટોમાં 'મથી મોંઘવારી, મથી મહિલા, અને મથી મણિપુરનો કોઈ ઉલ્લેખ નથી.'

ભાજપના 'સંકલ્પ પત્ર'માં વડાપ્રધાન મોદીએ લોકોને આ ગેરંટી આપી

• 3 કરોડ વધુ નવા મકાનો બનાવશે.

• અમે તમામ ઘરો માટે સસ્તી પાઇપલાઇન ગેસ મળી રહે તે દિશામાં કામ કરીશું.

• અમે વીજળી બિલને શૂન્ય કરવા તરફ કામ કરીશું, પીએમ સૂર્યઘર વીજળી યોજના શરૂ કરવામાં આવશે.

• ઘરે મફત વીજળી, વધારાની વીજળીના પૈસા પણ મળશે.

• મુદ્રા યોજનાની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી.

• પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે.

• ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.

આ તો સંકલ્પ પત્ર નહીં, જુમલા પત્ર છેઃ ભાજપના ચૂંટણી ઢંઢેરા મુદ્દે કોંગ્રેસની પ્રતિક્રિયા 2 - image



Google NewsGoogle News