PM મોદી સામે તાત્કાલિક એક્શન લો: કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ, સાંપ્રદાયિક્તા ફેલાવવાનો લગાવ્યો આરોપ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
PM મોદી સામે તાત્કાલિક એક્શન લો: કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ, સાંપ્રદાયિક્તા ફેલાવવાનો લગાવ્યો આરોપ 1 - image


Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પક્ષ અને વિપક્ષ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહી છે. 21મી એપ્રિલે  રાજસ્થાનમાં જનસભાને સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) દ્વારા આપવામાં આવેલા એક નિવેદનનો દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ (Congress)ના નેતાઓ અભિષેક મનુ સિંઘવી અને ગુરદીપ સિંહ સપ્પલે સોમવારે (22મી એપ્રિલ) આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

પીએમ મોદી સામે તાત્કાલિક એક્શન લો: કોંગ્રેસ નેતા

ચૂંટણી પંચને ફરિયાદ કર્યા બાદ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'અમે આભારી છીએ કે ચૂંટણી પંચે અમારી વાત સાંભળી. અમારા તરફથી 17 ફરિયાદો છે, ચૂંટણી પંચે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. રાજસ્થાનમાં વડપ્રધાન નરેન્દ્ર મોદીમાં નિવેદનમાં એક સમુદાય અને ધર્મનું નામ લેવામાં આવ્યું છે. જેમાં ઘૂસણખોરો સાથે સમુદાય અથવા ધર્મને જોડવામાં આવ્યો છે.'

પીએમ મોદીનું નિવેદન શું છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (21મી એપ્રિલ) રાજસ્થાનના બાંસવાડામાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, 'કોંગ્રેસનો આ ઢંઢેરો કહી રહ્યો છે કે તેઓ માતાઓ અને બહેનોના સોનાની ગણતરી કરશે, તેની માહિતી મેળવશે અને પછી તે સંપત્તિનું વિતરણ કરશે. અને તે તેમને વહેંચશે જેમના વિશે મનમોહન સિંહની સરકારે કહ્યું હતું કે સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. અગાઉ જ્યારે તેમની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. મતલબ કે આ મિલકત કોને ભેગી કરીને વહેંચવામાં આવશે? જેમને વધુ બાળકો હશે તેઓમાં વિતરણ કરશે. ઘૂસણખોરોમાં  વહેંચશે. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપવામાં આવશે? શું તમે આ સાથે સહમત છો?'

PM મોદી સામે તાત્કાલિક એક્શન લો: કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ, સાંપ્રદાયિક્તા ફેલાવવાનો લગાવ્યો આરોપ 2 - image


Google NewsGoogle News