લિકર પોલિસી કેસમાં CM કેજરીવાલને EDએ મોકલ્યું ચોથું સમન્સ, 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
લિકર પોલિસી કેસમાં CM કેજરીવાલને EDએ મોકલ્યું ચોથું સમન્સ, 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા 1 - image


Arvind Kejriwal ED Summon : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે લિકર પોલિસી કેસ (Delhi Liquor Scam)માં પૂછપરછ માટે ચોથું  સમન્સ મોકલ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીને 18 જાન્યુઆરીએ ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. હવે જોવાનું  રહેશે કે AAPના રાષ્ટ્રીય સંયોજક ચોથી વખત ED સમક્ષ હાજર થશે કે નહીં.

EDનું સમન્સ રાજકીય પ્રેરિત 

આમ આદમી પાર્ટીના નેતા (AAP)ઓ પણ ઈડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલને મોકલવામાં આવેલા સમન્સને રાજકીય રીતે પ્રેરિત અને બિનજરૂરી ગણાવી રહ્યા છે. AAP નેતાઓનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈક રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા ઈચ્છે છે. જ્યારે અરવિંદ કેજરીવાલ પાસે છુપાવવા જેવું કંઈ નથી. તેમણે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી. સીએમ અરવિંદ કેજરીવાલે પોતે કહ્યું છે કે તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. પરંતુ ED સમક્ષ હાજર થતા પહેલા ED તેમના પ્રશ્નોના જવાબ આપે. આપના નેતાઓનું એમ પણ કહેવું છે કે EDનું આ સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. તેણે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી.

EDએ આ પહેલા પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા

આ પહેલા અEDએ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બર 2023, 21 ડિસેમ્બર 2023 અને 3 જાન્યુઆરી 2024ના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે ત્રણેય વખત દિલ્હી સીએમ પૂછપરછ માટે તેઓ હાજર થયા ન હતા. અરવિંદ કેજરીવાલ 3 જાન્યુઆરીની પૂછપરછમાં હાજર રહ્યા ન હતા અને કહ્યું હતું કે ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ ગેરકાયદેસર છે અને તેનો એકમાત્ર હેતુ તેની ધરપકડ કરવાનો છે.

લિકર પોલિસી કેસમાં CM કેજરીવાલને EDએ મોકલ્યું ચોથું સમન્સ, 18 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા 2 - image


Google NewsGoogle News