ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે.... જયશંકરનું નિવેદન ચર્ચામાં
External Affairs Minister S Jaishankar: વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વધતાં ટેરિફ અને પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે, તે અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, હવે આ માત્ર આર્થિક ઉપાય નથી રહ્યો, પરંતુ દેશો માટે પોતાના હિતોનું રક્ષણ કરવા માટેનું શક્તિશાળી સાધન બની ગયું છે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પર 571 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, ACBએ હાથ ધરી તપાસ
જયશંકરે નવી દિલ્હીમાં આયોજિત રાયસીના સંવાદ દરમિયાન "કમિશર્સ અને મૂડીવાદીઓ: રાજકારણ, વ્યવસાય અને નવી વિશ્વ વ્યવસ્થા" પેનલ ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી એવા સમયે થઈ છે, કે જ્યારે અમેરિકાએ ભારત સહિત વિવિધ દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર વિવિધ ટેરિફની જાહેરાત કરી છે.
'આ દુનિયાની વાસ્તવિકતા છે. તમે તમારા વ્યવસાય માટે લડો છો'
વધુમાં જયશંકરે કહ્યું કે, 'આ દુનિયાની વાસ્તવિકતા છે. તમે તમારા વ્યવસાય માટે લડો છો, કારણ કે તમે તમારા રોજગાર માટે લડી રહ્યા છો, તમે તમારી વ્યાપક રાષ્ટ્રીય શક્તિ માટે લડી રહ્યા છો, જેમાં વ્યવસાયનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે.'
વિશ્વભરના વિકસિત થઈ રહેલા વૈશ્વિક લેવલ પર અલગ અલગ દેશોના સંબંધો પર જયશંકરે કહ્યું કે, 'મને લાગે છે કે આજે વિવિધ ક્ષેત્રોને વિભાજિત કરતી રેખાઓ ભૂસાઈ ગઈ છે. જો તમે આંતરરાષ્ટ્રીય સંબંધો જોશો તો, મને લાગે છે કે આજની સંસ્કૃતિ એક દાયકા પહેલાની તુલનામાં ઓછી સંયમિત છે.'
આ પહેલા 13 માર્ચે, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે વિવિધ દેશો દ્વારા અમેરિકા પર લાદવામાં આવેલા ટેરિફ પર દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જેમાં ભારત દ્વારા અમેરિકાના વાઇન અને કૃષિ ઉત્પાદનો પર લાદવામાં આવેલા ટેરિફનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.