ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલી વધે તેવી શક્યતા: લંકેશ ભક્ત મંડળ આ કારણસર કરશે માનહાનિનો કેસ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ધીરેન્દ્ર શાસ્ત્રીની મુશ્કેલી વધે તેવી શક્યતા: લંકેશ ભક્ત મંડળ આ કારણસર કરશે માનહાનિનો કેસ 1 - image


- ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહાન વિદ્વાન રાવણની સરખામણી સનાતન ધર્મનો વિરોધ કરનારાઓ સાથે કરી છે: એડવોકેટ ઓમવીર સારસ્વત

મથુરા, તા. 21 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર

લંકેશ ભક્ત મંડળ બાગેશ્વર ધામથી ચર્ચિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ કરશે. ગોવિંદ નગર સ્થિત સારસ્વત ધર્મશાળામાં થયેલી બેઠકમાં ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા વૃંદાવનમાં રાવણ પર જાતિને આધારે કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

લંકેશ ભક્ત મંડળના સંયોજક એડવોકેટ ઓમવીર સારસ્વતે કહ્યું કે, બાગેશ્વર ધામના નામથી કેટલાક દિવસથી ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. તેમણે મહાન વિદ્વાન રાવણની સરખામણી સનાતન ધર્મનો વિરોધ કરનારાઓ સાથે કરી છે.

સારસ્વતે આગળ કહ્યું કે, ભગવાન રામે રાવણની વિદ્વતાને માનતા લંકા પર વિજય પ્રાપ્તિ માટે રાવણ પર ભગવાન ભોલેનાથની પૂજા કરાવી હતી ત્યારથી તે સ્થળ રામેશ્વરમ તરીકે ઓળખાય છે. ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે, લંકા પર વિજય બાદ રાવણ પર ભગવાન શ્રીરામે લક્ષમણને રાજનીતિની શિક્ષા અપાવી હતી. તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાવણના યજમાન રહેલા ભગવાન રામનું પણ અપમાન કર્યું છે. 

તેમણે કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મના વ્યવસાયી છે તે 10થી 15 લાખ રૂપિયા લઈને પ્રવચન આપે છે. આવા વ્યક્તિ ક્યારેય ભગવાનના ભક્ત કે સંત ન હોઈ શકે. રાવણનું અપમાન સહન કરવામાં નહીં આવે.

એડવોકેટ સંજય સારસ્વતે કહ્યું કે, રાવણ બ્રાહ્મણ હતા. તેથી સારસ્વત બ્રાહ્મણ રાવણના વંશજ છે. રાવણ પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેથી સમાજના લોકોનું અન્ય લોકો દ્વારા મજાક કરવામાં આવી રહી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ કરવામાં આવશે. તે અંગે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં કુલદીપ અવસ્થી, હરિશ્ચંદ્ર સારસ્વત, કેપ્ટન કેપી સારસ્વત, બ્રિજેશ સારસ્વત, દીપક સારસ્વત, કેકે પચૌરી, ગજેન્દ્ર સારસ્વત, રાકેશ સારસ્વત હાજર રહ્યા હતા.


Google NewsGoogle News