પોતે જીવતા હોવાનો પુરાવો આપવા કચેરીમાં આવેલા વૃદ્ધનું મોત
-અધિકારીઓએ 6 વર્ષ પહેલાં કાગળ પર તેમને મૃત જાહેર કરી દીધા હતા
યુપીના સંત કબીરનગરમાં પોતાને જીવતા હોવાનું સાબિત કરવા કચેરીમાં પહોંચેલા 70 વર્ષના વૃદ્ધનું સરકારી અધિકારીઓની સામે જ મોત થઈ ગયું. ખેલઈ નામના આ વૃદ્ધ છેલ્લાં 6 વર્ષથી કાગળ પર નોંધાયેલા પોતાના મૃત્યુ સામે લડી રહ્યા હતા. આ લડાઈના છેલ્લા તબક્કામાં તેમને અધિકારીઓ સમક્ષ રજૂ થઈને પોતાને જીવતા હોવાનું સાબિત કરવાનું હતું.
ખેલઈ અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા, પરંતુ પોતાનો મુદ્દો રાખી શક્યા નહીં, એટલે કે કાગળ પર મૃત દર્શાવી દેવામાં આવેલા ખેલઈએ સરકારી અધિકારીઓની સામે જ દુનિયા છોડી દીધી. જોકે વર્ષ 2016માં તેના મોટા ભાઈ ફેરઈનું મૃત્યું થયું હતું, પરંતુ તેમની જગ્યાએ નાના ભાઈ ખેલઈને કાગળ પર મૃત દર્શાવી દેવામાં આવ્યા હતા.
મૃત હોવાનું દર્શાવીને મિલકત ટ્રાન્સફર કરી
ખેલઈના જીવન સાથે ચેડાં કરવાની કહાની 6 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. ધનઘટા તાલુકાના કોદરા ગામમાં રહેતા 90 વર્ષના ફેરઈનું વર્ષ 2016માં મૃત્યુ થયું હતું. સરકારી એકાઉન્ટન્ટ સહિત તહેસીલના કર્મચારીઓએ ફેરઈની જગ્યાએ તેના નાના ભાઈ ખેલઈને મૃત દર્શાવ્યા હતા.
સરકારી અધિકારીઓનો ખેલ અહીં જ ન અટક્યો, નકલી વસિયતનામા દ્વારા જીવિત ખેલઈની મિલકત મોટા ભાઈ ફેરઈની પત્ની સોમરી દેવી અને તેના પુત્ર છોટેલાલ, ચાલુરામ અને હરકનાથના નામ પર કરી દેવામાં આવી હતી. જ્યારે ખેલઈને આ વાતની ખબર પડી તો તેઓ પરેશાન થઈ ગયા હતા. તેઓ SDM, નાયબ અધિકારીઓની પાસે પોતે જીવિત હોવાના પુરાવા આપી રહ્યા હતા, પરંતુ સુનાવણી ક્યાંય થઈ રહી ન હતી.
ચકબંધી કોર્ટમાં તબિયત બગડી, પછી મૃત્યુ થયું
જ્યારે ખેલઈ પોતાને જીવિત સાબિત કરવાની કવાયતમાં વ્યસ્ત હતા. તેમણે આ મામલે ચકબંધી કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં પણ તેમની મિલકત તેમના નામે ટ્રાન્સફર થઈ શકી નહીં. જ્યારે તેઓ મંગળવારે ફરીથી કચેરી પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ બુધવારે બોલાવ્યા હતા. ખેલઈ તેમના પુત્ર હીરાલાલ સાથે બુધવારે કચેરી પહોંચ્યા હતા. જ્યાં ખેલઈની તબિયત અચાનક બગડી. લગભગ 11 વાગે તેમનું મૃત્યું થયું હતું.
પુત્રએ કહ્યું- પિતાને જીવતા ન્યાય ન મળી શક્યો
ખેલઈના પુત્ર હીરાલાલે આંસુ લૂછતાં જણાવ્યું હતું કે તેની માતાનું અવસાન થયું છે. તે વધુમાં જણાવે છે કે તેને જીવનભર એ વાતનું દુઃખ રહેશે, જે પિતાને પોતાને જીવિત હોવાનું સાબિત કરવામાં વર્ષો લાગી ગયા અને અંતે તેમનું ખરેખર મૃત્યુ થઈ ગયું.
હીરાલાલે કહ્યું, પન્નાલાલ, અમૃતલાલ, અમરજિત અને રણજિત તેમના સહિત પાંચ ભાઈઓ છે. તેમણે મંગળવારે અહીં તેમના પિતા અંગે નિવેદન નોંધાવવા આવ્યા હતા. અધિકારીએ બુધવારે આવવા જણાવ્યું હતું. પોતાની મિલકત મેળવવા પિતા 6 વર્ષથી કચેરીના ચક્કર લગાવી રહ્યા હતા. આઘાતને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
ઓફિસરે કહ્યું- અમે સંપત્તિ તેમના નામે કરવાની તૈયારી કરી રહ્યા હતા
આ સમગ્ર મામલે સંત કબીરનગર ધનઘટાના અધિકારી એ.કે. દ્વિવેદીએ જણાવ્યું હતું કે ખેલઈને બુધવારે નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. નિવેદન લીધા બાદ તેમની મિલકત તેમના નામે ટ્રાન્સફર કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પરંતુ તેમનું અવસાન થયું હતું. તેઓ મંગળવારે પણ આવ્યા હતા, પરંતુ નિવેદન નોંધી શકાયું નહોતું.
ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રવીન્દ્ર કુમારે કહ્યું હતું કે જીવતા હોવા છતાં કેવી રીતે ખેલઈનું મૃત્યુ પ્રમાણપત્ર બન્યું અને બીજાના નામે વસિયત કેવી રીતે બની ગઈ, આ તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. આ ગેમમાં જે પણ સામેલ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઘટના અંગેની માહિતી સિનિયર સત્તાધીશોને આપવામાં આવી છે. અધિકારી રત્નેશ તિવારીએ જણાવ્યું હતું કે આ મામલે મળેલી અરજીઓ સંબંધિત અધિકારીને ઉકેલ માટે મોકલવામાં આવી છે. કયા કારણે આટલા સમય બાદ પણ આ મામલો કેમ ઉકેલાયો નથી એની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.