Kargil Vijay Diwas: ટાઇગર હિલની એ છેલ્લી લડાઈ જેમાં 18 ગ્રેનેડિયર્સના જાંબાઝોએ રચ્યો ઇતિહાસ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Kargil Vijay Diwas


Kargil Vijay Diwas: વિશ્વ આજે પણ 1999માં ભારતીય સેનાએ દર્શાવેલ શૌર્ય અને બહાદુરીનું ઉદાહરણ યાદ કરે છે. પાકિસ્તાન પણ આ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. મેથી જુલાઈ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાનું 'ઑપરેશન વિજય' 26 જુલાઈએ સફળ રહ્યું હતું. તેથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એવામાં આજે કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂર્ણ થતાં ઇતિહાસ રચનારા આ દિવસે પાકિસ્તાનીઓને પાછા કેવી રીતે ધકેલ્યા હતા એનો એક કિસ્સો જોઈએ. 

1999ના રોજ ટાઇગર હિલ પર કબજો કર્યો હતો

સેનામાં જોડાયાને હજી જેને માંડ ચાર મહિના થયા હતા એવા યુવા લેફ્ટનન્ટ બલવાન સિંહે કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની ઘૂસણખોરો પર વ્યૂહાત્મક હુમલો કરનાર ભારતીય સેનાની ઘાતક પલટનનું નેતૃત્વ કર્યું. બલવાન સિંહ એ બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે 4 જુલાઈ, 1999ના રોજ ટાઇગર હિલ પર કબજો કર્યો હતો. 

બલવાન સિંહ હવે પ્રખ્યાત 18 ગ્રેનેડિયર્સના કર્નલ છે. તે એ ઘટનાને યાદ કરતાં કહે છે કે, ત્યાંથી પાછું વળીને અમે જોયું જ નહીં. ટાઇગર હિલ પર કબજો કર્યા પછી વિજય પ્રાપ્ત થયો. દુશ્મનો સામે લડતી વખતે હું ઘાયલ થયો, પરંતુ તેમ છતાં લડતો રહ્યો. મને મારી બહાદુરી માટે મહાવીર ચક્રથી સન્માનિત કરાયો હતો. 

આ પણ વાંચો: 'પાકિસ્તાનના નાપાક ઈરાદા ક્યારેય સફળ નહીં થાય...' કારગિલ વિજય દિવસ પર PM મોદીનો હુંકાર

1976માં રચાયેલ 18 ગ્રેનેડિયર્સે યુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બટાલિયનને 52 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં એક પરમવીર ચક્ર, બે મહાવીર ચક્ર, છ વીર ચક્ર, અનેક સેના મેડલ અને આર્મી સ્ટાફ તરફથી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. 

3 જુલાઈ 1999ની રાતથી અંતિમ લડાઈ શરુ થઈ હતી 

26 જુલાઈ, 1999ના રોજ જાહેર કરાયું કે કારગિલ યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. ભારતીય સેનાએ હિંમતભેર પાકિસ્તાની સેનાને પાછળ ધકેલી દીધી હતી. ગુપ્તચર પાસેથી મેળવેલી માહિતાના આધારે  ભારતીય સેનાએ લદ્દાખમાં મહત્ત્વના ઊંચા સ્થળો પર કબજો કરવામાં સફળતા મેળવી હતી. અહેવાલ અનુસાર તોલોલિંગ અને ટાઇગર હિલની મહત્ત્વપૂર્ણ લડાઈ દરમિયાન બટાલિયનને કમાન્ડ કરનાર નિવૃત્ત બ્રિગેડિયર ખુશાલ ઠાકુર કહે છે કે, 3 જુલાઈ, 1999ની રાત્રે 18 ગ્રેનેડિયર્સના સૈનિકો કે જેમને પોલ સ્ટાર બટાલિયન તરીકે પણ ઓળખવામાં આવે છે તેના સૈનિકો ટાઇગર હિલ કબજે કરવાના મિશન પર નીકળ્યા અને આગામી દિવસની સવાર સુધીમાં તેઓએ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. 

તોલોલિંગ પછીનું આગલું લક્ષ્ય ટાઇગર હિલ

ખુશાલ ઠાકુર ત્યારે કર્નલ હતા. તેમણે કહ્યું કે, "જૂન 12-13, 1999ના રોજ, અમે તોલોલિંગ પર કબજો કર્યો અને આ યુદ્ધમાં એક મોટો વળાંક આવ્યો. આનાથી આપણા સશસ્ત્ર દળો અને દેશવાસીઓનું મનોબળ વધ્યું અને પાકિસ્તાની પક્ષનું મનોબળ ઘટ્યું. અમે એક પછી એક સ્થળો પર કબજો કર્યો. બટાલિક સેક્ટરના શિખરો કબજે કર્યા પછીનું લક્ષ્ય ટાઇગર હિલ હતું."

આ પણ વાંચો: ફરી ધમરોળશે વરસાદ! ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 18 રાજ્યોમાં એલર્ટ, વાંચો IMDનું લેટેસ્ટ અપડેટ

તેમણે કહ્યું કે, "ટાઇગર હિલની જાસૂસી કરવા માટે મારી પાસે પૂરતો સમય હતો. મારી પાસે આર્ટિલરી બંદૂકો, મલ્ટી-બેરલ રૉકેટ લોન્ચર અને ઊંચાઈ પર લડવા માટેના યુદ્ધ સાધનો હતા...તમામ નુકસાન છતાં, 18 ગ્રેનેડિયર્સનું મનોબળ ઊંચું હતું અને અમારા બહાદુર જવાનોએ ટાઇગર હિલ પર કબજો કરી લીધો.

Kargil Vijay Diwas: ટાઇગર હિલની એ છેલ્લી લડાઈ જેમાં 18 ગ્રેનેડિયર્સના જાંબાઝોએ રચ્યો ઇતિહાસ 2 - image


Google NewsGoogle News