કારચાલકની બેદરકારીથી પાર્ક કરેલું ટુ વ્હિલર ફંગોળાયું, ભયંકર અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો

અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે તો એક સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
કારચાલકની બેદરકારીથી પાર્ક કરેલું ટુ વ્હિલર ફંગોળાયું, ભયંકર અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો 1 - image


Karnataka belgavi accident news | કર્ણાટકના બેલગાવીથી લગભગ 90 કિલોમીટર દૂર દત્ત જાંબોટી રોડ પર એક ભીષણ અકસ્માત સર્જાયાની માહિતી મળી રહી છે. જેમાં 6 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. પોલીસે શનિવારે જણાવ્યું કે આ અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે તો એક સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

કારચાલકે નિયંત્રણ ગુમાવ્યું 

પોલીસના જણાવ્યાનુસાર અકસ્માત સર્જનારા કારચાલકે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ઊભેલા ટુ વ્હિલરને ફંગોળી નાખ્યું હતું. તેની નજીકમાં જ બે લોકો ઊભા હતા જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાંથી એકનું મોત નીપજ્યું. જેની ઓળખ હનમંત મલપ્પા માલ્યાગોલ તરીકે થઇ હતી. 

અકસ્માતનો કેસ દાખલ 

માહિતી અનુસાર મૃતકોની ઓળખ એકનાથ ભીમપ્પ પદતારી (22), મલ્લિકાઅર્જુન રામપ્પા મરાઠે (16), આકાશ રામપ્પા મરાઠે (14), લક્ષ્મી રામપ્પા મરાઠે (19) અને નાગપા લક્ષ્મણ યાદવન્નાવર (48) તરીકે થઇ હતી. મુર્ગોડ પોલીસે આ મામલે દુર્ઘટનાનો કેસ નોંધ્યો હતો. 

કારચાલકની બેદરકારીથી પાર્ક કરેલું ટુ વ્હિલર ફંગોળાયું, ભયંકર અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો 2 - image


Google NewsGoogle News