5 એકરનું સંકુલ, 108 ફૂટ ઊંચું શિખર, 10 ગર્ભગૃહ... કલ્કી ધામ મંદિર હશે અનોખું

આ મંદિર ઉત્તર પ્રદેશના સંભલના અંકારા કંબોહ વિસ્તારમાં બનવા જઈ રહ્યું છે

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આ મંદિરની સૌથી વધુ ચર્ચા થઈ હતી

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News
5 એકરનું સંકુલ, 108 ફૂટ ઊંચું શિખર, 10 ગર્ભગૃહ... કલ્કી ધામ મંદિર હશે અનોખું 1 - image


Kalki Dham and PM Modi: પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ 1 ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા હતા અને તેમને મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. 

દુનિયામાં અનોખું મંદિર

કલ્કિ મંદિર વિષ્ણુના 10મા અને છેલ્લા અવતાર કલ્કીને સમર્પિત છે. સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે કલયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કીના રૂપમાં પ્રગટ થશે. આ સંદર્ભમાં, આ મંદિર વિશ્વમાં અજોડ છે કારણ કે મંદિર જેના માટે બનાવવામાં આવી રહ્યું છે તે અવતાર હજુ સુધી પ્રગટ થયો નથી.

બંસી પહાડપુરના ગુલાબી પથ્થરથી થશે નિર્માણ 

આ મંદિરમાં 10 ગર્ભગૃહ હશે, જેમાં દસ અલગ-અલગ અવતારોની સ્થાપના કરવામાં આવશે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરનું નિર્માણ એ જ બંસી પહાડપુરના ગુલાબી પથ્થરથી કરવામાં આવી રહ્યું છે જેનો ઉપયોગ અયોધ્યાના રામ મંદિર અને સોમનાથ મંદિરમાં થાય છે. મંદિરનું શિખર 108 ફૂટ હશે. આ મંદિરમાં પણ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ મંદિર 5 એકરમાં બનશે. તેને બનાવવામાં 5 વર્ષ લાગશે.

ભગવાન કલ્કી કોણ છે?

પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે કળિયુગમાં પાપ તેની ચરમસીમા પર હશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી નામનો દસમો અવતાર લેશે. અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કી અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેમાં ભગવાન કલ્કીના ઘોડાનું નામ દેવદત્ત તરીકે દર્શાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 4,32,000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે ભગવાન કલ્કી અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કી ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે.

કોણ બનાવશે આ મંદિર? 

આ મંદિરને શ્રી કલ્કી ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવશે જેના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશભરમાંથી 11000 થી વધુ સાધુ સંતો સંભલ પહોંચ્યા હતા. અનેક ધાર્મિક નેતા અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ મંદિર શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 

5 એકરનું સંકુલ, 108 ફૂટ ઊંચું શિખર, 10 ગર્ભગૃહ... કલ્કી ધામ મંદિર હશે અનોખું 2 - image



Google NewsGoogle News