Get The App

કેજરીવાલ વિરુદ્ધ પ્રથમ વખત રસ્તા પર ઉતર્યા કૈલાશ ગેહલોત, જય શ્રી રામના નારા સાથે ભર્યો હુંકાર

Updated: Nov 21st, 2024


Google News
Google News
કેજરીવાલ વિરુદ્ધ પ્રથમ વખત રસ્તા પર ઉતર્યા કૈલાશ ગેહલોત, જય શ્રી રામના નારા સાથે ભર્યો હુંકાર 1 - image


Image Source: Twitter

Delhi BJP Protest: તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના મોટા નેતા અને દિલ્હી સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાં બાદ કૈલાશ ગેહલોત ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. આજે ભાજપે અરવિંદ કેજરીવાલ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આ દરમિયાન આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ નેતાઓની સાથે કૈલાશ ગેહલોત પર નજર આવ્યા હતા. આ પહેલી વખત છે જ્યારે કૈલાશ ગેહલોત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને 'આમ આદમી પાર્ટી'ના સંયોજક વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપે કેજરીવાલને તેમના સરકારી બંગલાને લઈને પણ આડે હાથ લીધા હતા.

જય શ્રી રામના નારા સાથે ભરી હુંકાર

આજે જ્યારે દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત કેજરીવાલ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા ત્યારે જય શ્રીરામના નારા સાથે હુંકાર ભર્યો અને ભારી ભીડમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ પહેલી વખત છે જ્યારે દિલ્હી સરકારના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત પોતાના પૂર્વ નેતા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા રસ્તા પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. 

આ પણ વાંચો: AAPના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોતે કેસરિયો ખેસ ધારણ કર્યો, કહ્યું નિર્ણય કોઈના દબાણમાં નથી લીધો

કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા

ગુરુવારે શરૂ થયેલા કેજરીવાલ વિરુદ્ધ ભાજપના વિરોધ પ્રદર્શનમાં ભાજપના ઘણા નેતાઓ સામેલ થયા હતા. કૈલાશ ગેહલોતની સાથે સાંસદ મનોજ તિવારી, કમલજીત સેહરાવત, વિજય ગોયલ અને વીરેન્દ્ર સચદેવાએ પણ તેમાં ભાગ લીધો હતો. આ તમામે કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમની પાસે જવાબ માંગ્યો છે.

આ પણ વાંચો: Photos: 'કેજરીવાલના શીશ મહેલમાં ટોઇલેટ સીટ છે ગોલ્ડ પ્લેટેડ', ભાજપે ફોટો બતાવીને ઉઠાવ્યા સવાલ

વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ કેજરીવાલની લાઈફસ્ટાઈલને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપના નેતાઓએ કહ્યું કે, કેજરીવાલે ચૂંટણી લડવા પહેલા વચન આપ્યું હતું કે, હું સરકારમાં આવ્યા બાદ પણ સાદું જીવન જીવીશ અને મોંઘી કાર તથા મોંઘા બંગલામાં નહીં રહીશ. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેજરીવાલે પોતાનું વચન તોડીને ભ્રષ્ટાચાર દ્વારા પોતાના બંગલામાં ઘણા પૈસા લગાવ્યા અને પોતાનું જીવન વૈભવી બનાવી દીધું.

Tags :
DelhiAam-Aadmi-PartyKailash-GahlotArvind-KejriwalBJPCorruption-Issue

Google News
Google News