NDAની બેઠકમાં આ દિગ્ગજ નેતાને મંચ પર ન અપાયું સ્થાન, સપા અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
NDAની બેઠકમાં આ દિગ્ગજ નેતાને મંચ પર ન અપાયું સ્થાન, સપા અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ 1 - image


Lok Sabha Elections Result 2024: એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે મંચ પર ઘણાં દિગ્ગજ નેતાઓ મળ્યા હતા. જો કે, સપા અને કોંગ્રેસે આ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, 'આરએલડીના વડા જયંત ચૌધરીને મંચ પર સ્થાન ન આપવું એ અપમાન છે.'

સપા અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે કહ્યું કે, 'જયંત ચૌધરીને નરેન્દ્ર મોદી સાથે પંચ પર સ્થાન મળ્યું નથી. નરેન્દ્ર મોદીજીની જગ્યાએ જે પણ જશે તેની સાથે આવું થશે. પક્ષમાં સામેલ કરતી વખતે તેમને મોટા ગુલદસ્તા અને હાર આપવામાં આવે છે, પરંતુ બાદમાં તેમનું અપમાન કરવામાં આવે છે.' બીજી તરફ સપાએ સવાલ કર્યો હતો કે, એક સાંસદ સાથે પાર્ટીની અનુપ્રિયા પટેલને મંચ પર સ્થાન મળ્યું પરંતુ બે સાંસદો સાથેના આરએલડીના નેતાને સ્થાન મળ્યું નહીં. ઘોસી બેઠકથી જીતેલા સપાના રાજીવ રાયે કહ્યું કે, 'ખેડૂતોને આતંકી કહેનારા તેમની સાથે જશે તો પણ આવી જ સ્થિતિ થશે.'

સપા નેતા રાજીવ રાયે કહ્યું કે, 'આ માત્ર ખેડૂતોના સૌથી મોટા નેતા ચૌધરી સાહેબના પૌત્ર જયંત ચૌધરીનું અપમાન નથી, પરંતુ તે ખેડૂતોનું પણ અપમાન છે. જો જયંતને ખેડૂતોના સન્માનની ચિંતા હોય અને પોતાના સ્વાભિમાનની ચિંતા હોય તો તેઓ આ અપમાન સહન નહીં કરે.'

સપા નેતાએ વધુમાં કહ્યું કે, 'જે દિવસે મને ઘોસીથી ટિકિટ મળી, મને ખાતરી હતી કે મને મળશે. મોટી જીત સાથે મોટી જવાબદારી આવે છે. ઘણી વખત અફવાઓ ઉડી હતી કે ટિકિટ કેન્સલ થઈ જશે પરંતુ અખિલેશજીએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો.'


Google NewsGoogle News