હવે અનંતનાગમાં આતંકીઓનો અંત પાક્કો, કુપવાડામાં CRPFના કોબ્રા કમાન્ડોને કરાયા તૈનાત
કેન્દ્રીય પોલીસ બળના કોબ્રા કમાન્ડરની પહેલી બેંચને કુપવાડામાં તૈનાત કરવામાં આવી
જમ્મુ-કશ્મીર મોકલવામાં આવ્યા કોબરા કમાન્ડર
CRPFના કોબ્રા કમાન્ડ ફોર્સના એક ખાસ ઉનીતને જમ્મુ-કશ્મીર મોકલવામાં આવ્યું છે. જંગલ અને પહાડોમાં છુપાઈને સુરક્ષા દળો પર આતંકવાદીઓના હુમલા કરવાની રીત પર COBRA ખાસ નજર રાખશે. કારણ કે કોબ્રા કમાન્ડોએ જંગલ અને ગોરિલા વોર ફેરની લડાઈમાં નિપુણતા મેળવી છે.
કેન્દ્રીય પોલીસ બળના કોબ્રા કમાન્ડરની પહેલી બેંચને કુપવાડામાં તૈનાત કરવામાં આવી છે. કોબ્રા કમાન્ડની પરમ બેન્ચે હાલમાં જ જમ્મુ-કશ્મીરના જંગલોમાં પ્રશિક્ષણ પૂરું કર્યું છે. COBRA એટલે કે કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુટ એક્શનને આઓવાડી વિદ્રોહીઓ પર અંકુશ મેળવવા માટે બનાવવામાં આવ્યું હતું. જેને પરમ વખત મધ્ય અને પૂર્વી ભારતથી હટાવીને જમ્મુ-કશ્મીર મોકલવામાં આવ્યું છે.
જમ્મુ-કશ્મીર મોકલવામાં આવ્યા કોબરા કમાન્ડર
CRPFની કોબ્રાકમાન્ડર ફોર્સના ખાસ ઉનીતને જમ્મુ-કશ્મીર મોકલવામાં આવ્યું છે. જંગલ અને પહાડોમાં છુપાઈને સુરક્ષા દળો પર આતંકવાદીઓના હુમલો કરતા આતંકીઓ પર કોબ્રા ખાસ નજર રાખશે. આતંકીઓ વિરુદ્ધ જો ઓપરેશનની જરૂર પડશે તો ત્યાં હાજર ફોર્સની મદદ પણ કોબ્રા કમાન્ડર કરશે. કોબ્રા કમાન્ડોએ જંગલ અને ગોરિલા વોર ફેરની લડાઈમાં નિપુણતા મેળવી છે.
જંગલોમાં લડવા માટે નિપુણ છે
ઘણા દિવસોથી આંતકીઓ જંગલ અને પહાડોમાં છુપાઈને સુરક્ષા દળો પર હુમલા કરે છે. જંગલોમાં લડાઈ લડવામાં કોબ્રા કમાન્ડર નિપુણ છે. જેથી તેમને જમ્મુ-કશ્મીરના જંગલોમાં ઉપયોગમાં લઇ શકાય છે. નકસલવાદીઓ સામે લડવા માટે કોબ્રા એક સ્પેશીયલ ફોર્સ છે. મળેલી જાણકારી મુજબ કોબ્રાની સમુક ટુકડીઓને બિહાર અને ઝારખંડમાં નક્સલી હિંસામાં ઘટાડો થવાના કારણે ત્યાંથી ટુકડીઓને આંશિકરૂપે ત્યાંથી હાલ દુર કરવામાં આવી છે.
છ મહિના પહેલા તેમની તાલીમ જમ્મુ-કશ્મીરમાં શરુ કરવામાં આવી હતી. જયારે આવે તાલીમ પૂરી થતા કુપવાડામાં તેને તૈનાત કરવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં કોઈપણ ઓપરેશનમાં તેની મદદ લેવામાં આવી નથી.
આતંકવાદીઓના શંકાસ્પદ મદદગાર કસ્ટડીમાં
સોમવારે જમ્મુ-કશ્મીરના કિશ્તવાડ જીલ્લામાં પ્રતિબંધિત હિજબુલ મુજાહિદીન આતંકી સંગઠનના ત્રણ ઓવર ગ્રાઉન્ડ વર્કરને PAS અંતર્ગત કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અધિકારીઓ તરફથી મળેલી જાણકારી મુજબ તૌસીફ-ઉલ-નબી, ઝહૂર-ઉલ-હસન અને રિયાઝ અહેમદને તે કાયદા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જે પોલીસની ભલામણો પર કેટલાક કેસોમાં કોઈપણ આરોપ કે ટ્રાયલ વિના આરોપીને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપે છે.
પોલીસે ત્રણેયના વિરુદ્ધ એક ડોઝીયર તૈયાર કરીને કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરને સોપવામાં આવ્યું, જેમાં PAS અંતર્ગત તેમની કસ્ટડીની મંજુરી આપવામાં આવી હતી.