અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય શ્રી રામ યુનિવર્સિટી બનાવાશે! ડેપ્યુટી સીએમ દિનેશ શર્માની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક ક્રાંતિ આવી છે. અમે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે:દિનેશ શર્મા

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય શ્રી રામ યુનિવર્સિટી બનાવાશે! ડેપ્યુટી સીએમ દિનેશ શર્માની જાહેરાત 1 - image


Ram Janmabhoomi: ઉત્તર પ્રદેશની યોગી સરકાર અયોધ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ આપવાનો પ્રયાસ કરી રહી છે. હવે નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું કે 'રાજ્યના શિક્ષણ મંત્રી હોવાના નાતે મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે અયોધ્યા શ્રી રામ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે. આ માટે ખાનગી ક્ષેત્રના ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. શ્રી રામ સાહિત્ય, રામચરિતમાનસ અને રામાયણ કેટલા શબ્દોમાં અને કેટલી ભાષાઓમાં લખવામાં આવી છે, તેના માટે સંશોધન કેન્દ્ર બનાવવામાં આવશે.'

'ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક ક્રાંતિ આવી': દિનેશ શર્મા

દિનેશ શર્મા કહ્યું કે,'ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક ક્રાંતિ આવી છે. અમે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે, જે આઝાદી પછીથી ચાલી રહ્યો હતો. 4 વર્ષમાં માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે 247 શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં 167 દીનદયાલ ઉપાધ્યાય મોડલ સ્કૂલ બનાવવામાં આવી છે. આ રીતે 79 જેટલી સરકારી કોલેજોની રચના કરવામાં આવી છે. જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે 12 મેડિકલ કોલેજ હતી અને આજે 30 મેડિકલ કોલેજો કાર્યરત છે. આ સાથે અમેઠી અને ગોરખપુરમાં AIIMSએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ સતત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે.'

ઉલ્લેખનીય છે કે, 22મી જાન્યુઆરી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે સાધુ-સંતો અને આગેવાનો તેમજ સેલિબ્રિટિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


Google NewsGoogle News