I.N.D.I.A. ગઠબંધનમાં મતભેદોનો ખડકલો સર્જાશે, કોંગ્રેસનું વધશે ટેન્શન! NDA સહયોગીનો મોટો દાવો

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
I.N.D.I.A. ગઠબંધનમાં મતભેદોનો ખડકલો સર્જાશે, કોંગ્રેસનું વધશે ટેન્શન! NDA સહયોગીનો મોટો દાવો 1 - image


Image: Facebook

INDIA Alliance: INDIA દ્વારા વોટ ડિવિઝનની માગ ન કરવા મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. નીતીશ કુમારની પાર્ટી જેડીયુના રાષ્ટ્રીય સચિવ રાજીવ રંજને દાવો કર્યો છે કે વિપક્ષને જાણ હતી કે તેની પાસે સંખ્યા નથી. જો તે વોટ ડિવિઝનની માગ કરે તો તેનાથી તેમની અંદરની જે ગાંઠો છે, તે પણ ઉજાગર થઈ જાત. 

તેમણે આગળ કહ્યું કે વિપક્ષના ફ્લોર સંચાલનની ખામીઓ એક દિવસ પહેલા જ જોવા મળી ગઈ હતી, જ્યારે ટીએમસી નેતા અભિષેક બેનર્જીનું નિવેદન સામે આવ્યું. જયરામ રમેશનું કહેવું હતું કે તેમણે મત વિભાજન માટે કહ્યું નહોતું જ્યારે અભિષેક બેનર્જીનું કહેવું હતું કે તેમણે આ માટે કહ્યું હતું.

કોંગ્રેસને પડકાર આપશે ટીએમસી, આપ જેવી પાર્ટીઓ

રાજીવ રંજને કહ્યું કે ગઠબંધન (INDIA) ની અંદરની ગાંઠો હવે બહાર આવવા લાગી છે પરંતુ આ સિલસિલો ચાલુ રહ્યો તો ટીએમસી અને આમ આદમી પાર્ટી જેવી પાર્ટીઓ આ માટે ભવિષ્યમાં ખૂબ પડકાર ઊભા કરશે.

કે.સુરેશના નામ પર ટીએમસીએ અંતર જાળવ્યું

સ્પીકર પદ માટે INDIAના પ્રમુખ ઘટક દળો કોંગ્રેસ, એસપી, ડીએમકે, શિવસેના (યુબીટી) અને એનસીપીએ કે. સુરેશના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો પરંતુ ટીએમસીએ તેનાથી અંતર જાળવ્યું. એનડીએની તરફથી પીએમ મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેને પ્રોટેમ સ્પીકરે ધ્વનિ મતથી પસાર કરી દીધો.

ટીએમસીએ શું કહ્યું?

ટીએમસીની ફરિયાદ હતી કે કે.સુરેશના નામને લઈને તેમની સલાહ લેવામાં આવી નથી. કોંગ્રેસે મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કદાચ વાત બની નહીં.

જયરામ રમેશ અને અભિષેક બેનર્જીએ શું કહ્યું?

એક તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે INDIAએ સ્પીકર પદ માટે કે. સુરેશનું નામ પ્રસ્તાવિત કરીને લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કર્યો છે. INDIAએ વોટ ડિવિઝન માટે દબાણ નાખી શકતી હતી પરંતુ અમે આવું કર્યું નહીં. 

ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ કહ્યું કે ઘણા સાંસદો દ્વારા વોટિંગની માગ કરવામાં આવી હતી પરંતુ પ્રોટેમ સ્પીકરે વોટ ડિવિઝનની પરવાનગી આપી નહીં, કેમ કે તેમની પાસે ચૂંટણી જીતવા માટે પૂરતી સંખ્યા નહોતી.


Google NewsGoogle News