ભાજપને ‘કમળ’ અને કોંગ્રેસને ‘પંજા’નું ચૂંટણી ચિહ્ન કેવી રીતે મળ્યું, જાણો રસપ્રદ કહાની

Updated: May 1st, 2024


Google NewsGoogle News
ભાજપને ‘કમળ’ અને કોંગ્રેસને ‘પંજા’નું ચૂંટણી ચિહ્ન કેવી રીતે મળ્યું, જાણો રસપ્રદ કહાની 1 - image


Lok Sabha Election 2024: ચૂંટણીમાં પક્ષો માટે તેમના ચૂંટણી ચિહ્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. આ વખતે પણ ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોટની અપીલ કરતાં કહ્યું હતું કે, તમે માત્ર એટલું જ સમજો લો કે ચૂંટણી કમળ લડી રહ્યું છે. હકીકતમાં આઝાદી પછી દેશનો સાક્ષરતા દર ઘણો નીચો હતો. એવામાં પાર્ટીઓ અથવા ઉમેદવારોને ઓળખવા માટે ચૂંટણી ચિહ્ન આપવાની શરુઆત કરવામાં આવી હતી. જો કે, આ ચૂંટણી ચિહ્નો આજે પણ એટલા જ પ્રાસંગિક છે, જેટલા આજથી 70 વર્ષ પહેલા હતા. કેટલાક પક્ષોમાં વિભાજન થયા પછી ચૂંટણી ચિહ્ન માટે લોકો કોર્ટમાં ગયા હોવાના કિસ્સા પણ બન્યા હતા. 

હાલમાં જ એનસીપી અને શિવસેના વચ્ચેના ભાગલા પડ્યા પછી બંને જૂથો ચૂંટણી ચિહ્ન પર દાવેદારી કરી રહ્યા છે. તો વળી દો પત્તીના ચિહ્ન માટે ટીટીવી દિનાકરણે પણ કોર્ટના ચક્કર લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે મોટી પાર્ટીઓના ચૂંટણી  ચિહ્ન નિશ્ચિત હોય છે, પરંતુ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ લિસ્ટમાંથી ચૂંટણી ચિહ્ન પસંદ કરવાનું હોય છે. જેમાં વહેલા તે પહેલાના ધોરણે ચૂંટણી ચિહ્નો ફાળવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, એમએસ સેઠીને 1950માં ડ્રાફ્ટ્સમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જે એચબી પેન્સિલની મદદથી ચૂંટણીના નિશાન બનાવતા હતા. અને તે જ ચૂંટણી ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તેમના દ્વારા બનાવવામાં આવેલા તસવીરો આજે પણ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાય છે. ચૂંટણીમાં પ્રાણીઓની તસવીરોવાળાનો પણ ભરપૂર ઉપયોગ થતો હતો. જો કે, 1991માં તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદથી પશુ-પક્ષીઓની તસવીરોનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હતો. જો કે, હજુ પણ કેટલાક પક્ષો પાસે આવા ચૂંટણી  ચિહ્નો છે. જેમ કે, બસપાનું ચિહ્વ હાથી છે. MGPનું ચિહ્ન સિંહ છે,અને નાગા પીપલ્સ ફ્રન્ટનું ચિહ્ન મરઘી છે.

કેવી રીતે મળ્યું ભાજપને કમળનું ચિહ્ન

ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. તેનો પાયો 1980માં નાખવામાં આવ્યો હતો. હકીકતમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં જ જનસંઘનો પાયો નાખ્યો હતો. ત્યારે તેનું ચિહ્વ દીવો હતો. ઈમરજન્સી પછી જનસંઘ જનતા પાર્ટીમાં ભળી ગઈ અને તેનું ચિહ્ન 'હલધર કિસાન' બની ગયું. 1980માં જ્યારે ભાજપની રચના થઈ, ત્યારે તેના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી હતા. ત્યાર બાદ હિન્દુ પરંપરા સાથે જોડી આ પાર્ટીએ કમળને પસંદ કર્યું હતું. ભાજપે એટલા માટે કમળ પસંદ કર્યું, કારણ કે તેનો ઉપયોગ સ્વતંત્રતા આંદોલનમાં અંગ્રેજો સામે પણ કરવામાં આવ્યો હતો. 

કોંગ્રેસના 'પંજા' ની સ્ટોરી

પહેલા કોંગ્રેસનું ચૂંટણી  ચિહ્ન 'બે બળદની જોડી' હતું. પરંતુ, જ્યારે કોંગ્રેસમાં વિભાજન થયું ત્યારે જગજીવન રામની કોંગ્રેસ (આર) ને અસલી કોંગ્રેસ માનવામાં આવતી હતી. તેમજ નિજલિંગપ્પાના નેતૃત્વવાળી કોંગ્રેસ (ઓ)ને બે બળદનું ચિહ્ન આપવામાં આવ્યું નહોતું. તે પછી સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના આદેશ પર રોક લગાવી દીધી અને કહ્યું કે, હવે બંને જૂથ જૂના ચિહ્નનો ઉપયોગ નહીં કરે. એટલે તે પછી 1971માં કોંગ્રેસ (ઓ)ને ચરખો અને કોંગ્રેસ (આર)ને વાછરડા અને ગાયને ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું હતું. 

1978થી અત્યાર સુધી કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન પંજો

પરંતુ, તે પછી કોંગ્રેસ (આર) ફરી તૂટી ગઈ. અને તે પછી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ (I)એ 'હાથનો પંજા'ને ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધી ગાય અને વાછરડાવાળું જ ચિહ્ન રાખવા માંગતા હતા. પરંતુ ચૂંટણી પંચે તેમની માંગ ફગાવી દીધી હતી. તે પછી સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ રીતે પક્ષો તૂટ્યા પછી ચિહ્નો બદલાતા રહ્યા હતા અને 1978થી અત્યાર સુધી કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન હાથનો પંજો જ રહ્યો છે.


Google NewsGoogle News