અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ

- રામલલાને દરરોજ રંગબેરંગી વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ 1 - image


Image Source: Twitter

અયોધ્યા, તા. 24 માર્ચ 2024, રવિવાર

Ram Lalla Holi 2024: ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરા અને વૃંદાવનની હોળી દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. તેમાં ભાગ લેવા માટે લાખો ભક્તો મથુરા-વૃંદાવન પહોંચે છે. પરંતુ આ વર્ષે ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં હોળીના તહેવારને લઈને પણ સ્થિતિ એવી જ છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની સ્થાપના કર્યા  બાદ પ્રથમ વખત હોળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. હોળી પર ભક્તો પોતાના આરાધ્યના દર્શન કરવા અને તેમની સાથે હોળી રમવા માટે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે. બીજી તરફ મંદિર પ્રશાસને પણ હોળીના તહેવાર પર રામલલા માટે વિશેષ વ્યવસ્થા કરી છે.

રોજ થઈ રહ્યા આયોજન

અયોધ્યામાં હોળીની ધૂમ રંગભારી એકાદશીથી શરૂ થઈ ચૂકી છે. અહીં રોજ અબીલ-ગુલાલ ઉડી રહ્યા છે. ધાર્મિક ગીત-સંગીતના કાર્યક્રમ થઈ રહ્યા છે. રામલલાને ફાગના ગીતો સંભળાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન રામલલાને દરરોજ રંગબેરંગી વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. આ સાથે જ હવામાનમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખી રામલલા માટે રસપ્રદ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે.

હોળી માટે ખાસ વ્યવસ્થા

હોળીના દિવસ માટે અયોધ્યા શ્રી રામ મંદિરમાં રામલલાને પણ અબીર અને ગુલાલ અર્પણ કરવામાં આવી રહ્યા છે. ભગવાન માટે થંડાઈથી 56 ભોગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે, આ રામલલા નવા મંદિરમાં વિરાજમાન થયા બાદ આ પહેલી હોળી છે અને ભક્તો તેમના ભગવાન સાથે હોળી રમવા માટે અયોધ્યા આવી રહ્યા છે. હોળીના દિવસે ભગવાનને સુંદર વસ્ત્રો અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. રામલલાને થંડાઈ સહિત 56 ભોગ ચઢાવવામાં આવશે. અબીલ-ગુલાલ અર્પણ કરવામાં આવશે અને ફાગ ગીતો સંભળાવવામાં આવશે. બીજી તરફ ભક્તો સરળતાથી દર્શન કરી શકે અને તેમને સલામતી અને સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


Google NewsGoogle News