સ્કૂલ-કૉલેજ અને જાહેર સ્થળોએ ફર્નિચર બનાવવામાં ધ્યાન રાખવું પડશે, જાણો સરકારનો આદેશ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
fireproof furniture


Make Fireproof Furniture In Public Places: ભારત સરકારે જાહેર સ્થળોએ મૂકવામાં આવતાં સોફા, ખુરશી સહિતના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલમાંથી બનાવવામાં આવે તેવો આદેશ કર્યો છે. જાહેર જનતાની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગને લગતી કરુણ દુર્ઘટનાઓમાં જાનહાનિ ન થાય એ હેતુથી આ આદેશ કરવામાં આવ્યો છે. પહેલી ઑક્ટોબર 2024થી નવો આદેશ લાગુ પડશે. અગાઉ સાતમી ઑક્ટોબર 2023થી તેનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ડાઇનિંગ હોલમાંની ખુરશીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે

આ નિયમ પ્રમાણે સિનેમા ઘર, ડાઇનિંગ હોલ, શાળા-કૉલેજ, પડદાં, ખુરશી કે સોફા સહિતના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલના બનેલા હોવા જરૂરી છે. જાહેર સ્થળોએ તૈયાર કરવામાં આવતાં તમામ પ્રકારના ફર્નિચર ફાયરપ્રૂફ મટિરિયલમાંથી જ તૈયાર થયેલા હોવા જોઈએ. આ માટેના ધોરણો બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે નક્કી કરી આપ્યા છે. જાહેર સ્થળોમાં ઑફિસ, મોલ, એરપોટ્‌ર્સ, રેસ્ટોરન્ટ, અન્ડરગ્રાઉન્ડ શોપિંગ કોમ્પ્લેક્સ, મ્યુઝિયમ, હૉસ્પિટલ્સ અને પૂજાઅર્ચનાના ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. શૈક્ષણિક સંસ્થાઓને પણ આ નિયમ લાગુ પડશે. ડાઇનિંગ હોલમાંની ખુરશીઓ માટે પણ આ નિયમ લાગુ પડશે.

પડદા પણ ફાયરપ્રૂફ હોવા જરૂરી 

ખુરશી અને સોફાની ગાદી પર ફાયરપ્રૂફ અપહોલેસ્ટરી રાખવા જણાવ્યું છે. ખુરશીની ગાદી બનાવવા માટેના મટિરિયલને અપહોલસ્ટરી તરીકે ઓળખાવવામાં આવે છે. અપહોલ્સ્ટરી ફાયરપ્રૂફ હોવી જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ જ રીતે જાહેર સ્થળ પર પડદાં લગાવવામાં આવ્યા હોય તો તે પડદાં પણ ફાયરપ્રૂફ હોવા જરૂરી છે. કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ ખાતાએ ગેઝેટના માધ્યમથી તેની જાહેરાત કરી છે. આ નિયમનું પાલન ન કરનારાઓને બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઍક્ટ 2016 કલમ 11 હેઠળ દંડ કરવામાં આવશે.

26મી મે 2023થી ગેઝેટ બહાર પાડીને ફાયરપ્રૂફ મટિરિયલનો ઉપયોગક કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તેનું પાલન બહુ જ મર્યાદિત લોકો દ્વારા કરવામાં આવ્યું હોવાથી હવે સરકાર કડક પગલાં ભરવા તૈયાર થઈ હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હીપ રિપ્લેસમેન્ટના કેસમાં 40 ટકા વધારો, 80 ટકા લોકો તો 50થી ઓછી વયના

ક્વોલિટી કંટ્રોલ ઑર્ડર ખુરશી સોફાના મટિરિયલ બનાવનારાને પણ લાગુ પડશે. ઘરમાં વપરાતા ફર્નિચરને માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. આયાત કરવામાં આવતાં તમામ પ્રકારના ફર્નિચરને આ નિયમ લાગુ પડશે. જો કે માર્ચ 2025 સુધી મટિરિયલ બનાવનારા ઉદ્યોગને રાહત આપવામાં આવલી છે. જાહેર સ્થળોએ ફાયર સેફ્ટીમાં વધારો કવરાના ઇરાદા સાથે સરકાર આ પગલાં લઈ રહી છે. જાહેર સ્થળોએ ફરતી પ્રજાના જીવનું અને જાહેર મિલકતોને સલામત બનાવવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રોડક્ટ્‌સ માટે બીઆઇએસ સર્ટિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

સ્કૂલ-કૉલેજ અને જાહેર સ્થળોએ ફર્નિચર બનાવવામાં ધ્યાન રાખવું પડશે, જાણો સરકારનો આદેશ 2 - image


Google NewsGoogle News