કોંગ્રેસના દિગ્ગજ નેતાનું હાર્ટએટેકથી નિધન, 76 વર્ષે લીધા અંતિમ શ્વાસ, મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા હતા

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Dharmapuri Srinivas

Image : Twitter



Andhra pradesh Dharmapuri Srinivas passed away | આંધ્રપ્રદેશ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ધર્મપુરી શ્રીનિવાસનું નિધન થઈ ગયું છે. તેમના પરિવારના જણાવ્યા અનુસાર તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને શનિવારે સવારે 3 વાગે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 

આંધ્રપ્રદેશમાં મંત્રી, સાંસદ અને પીસીસી પ્રમુખ પદે રહ્યાં 

શ્રીનિવાસે વિભાજન પહેલાના તત્કાલીન આંધ્રપ્રદેશમાં મંત્રી, સાંસદ અને પીસીસી પ્રમુખ તરીકે સેવા બજાવી હતી. તેમને બે પુત્રો છે જેમાં બીજા પુત્ર ધર્મપુરી અરવિંદ હાલમાં નિઝામાબાદના સાંસદ છે. તેમના મોટા પુત્ર સંજય અગાઉ નિઝામાબાદના મેયર રહી ચૂક્યા હતા.

પરિવહન અને બીસી કલ્યાણ મંત્રીએ શોક વ્યક્ત કર્યો

તેલંગાણાના પરિવહન અને બીસી કલ્યાણ મંત્રી પોનમ પ્રભાકરે શ્રીનિવાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે મંત્રી પોનમ પ્રભાકરે મંત્રી અને પીસીસી ચીફ તરીકે તેમની સેવાઓને યાદ કરી. તેમણે પાર્ટીમાં તેમની સાથેના તેમના લાંબા જોડાણને યાદ કર્યું. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે તેઓ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને વધુ હિંમત આપે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાનું હાર્ટએટેકથી નિધન, 76 વર્ષે લીધા અંતિમ શ્વાસ, મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા હતા 2 - image



Google NewsGoogle News