ફિરોઝાબાદ: કાઠ બજારમાં ભીષણ આગથી તબાહી, 100થી વધુ દુકાનો બળીને ખાખ, કરોડોનું નુકસાન

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
ફિરોઝાબાદ: કાઠ બજારમાં ભીષણ આગથી તબાહી, 100થી વધુ દુકાનો બળીને ખાખ, કરોડોનું નુકસાન 1 - image


Image Source: Twitter

- ઉત્તર પ્રદેશના કાઠ બજારમાં બસોથી વધુ દુકાનો છે

ફિરોઝાબાદ, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર

યુપીના ફિરોઝાબાદ જિલ્લામાં લાગેલી ભીષણ આગે ભારે તબાહી મચાવી છે. કોટલા રોડ સ્થિત રામલીલા મેદાનના કાઠ બજારમાં શનિવાર-રવિવારની  રાત્રે 3:30 વાગ્યે ભીષણ આગ લાગી ગઈ હતી. જેના કારણે એક કલાકમાં જ સૌથી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે આગરા અને મૈનપુરીથી ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. આગના કારણે કરોડોનું નુકસાન થયું છે.

200થી વધુ છે દુકાનો

ઉત્તર પ્રદેશના કાઠ બજારમાં બસોથી વધુ દુકાનો છે. આગની શરૂઆત રામ દ્વાર પાસેથી થઈ હતી. એવું માનવામાં આવે છે કે ટ્રાન્સફોર્મરમાંથી સ્પાર્ક થવાના કારણે આસપાસની દુકાનોમાં આગ લાગી ગઈ હતી. ત્યારબાદ આ આગ ફેલાતી જ રહી. સવારે પોણા ચાર વાગ્યાના અરસામાં બજારમાં સૂતેલા દુકાનદારો અને મજૂરોને આ અંગેની જાણ થતાં નાસભાગ મચી ગઈ હતી. તેઓએ તેમની દુકાનોમાંથી સામાન કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ નહીં થયા. 

આગ લાગ્યા બાદ પણ લાંબા સમય સુધી અવિરત વીજ પુરવઠો હોવાના કારણે વીજ વાયરોમાં પણ આગ લાગી હતી. 4:30 વાગ્યાથી ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચવા લાગી હતી. આગની વિકરાળતાને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લામાંથી ફાયર બ્રિગેડને બોલાવવાની સાથે આગ્રા અને મૈનપુરીથી પણ ગાડીઓ મંગાવવામાં આવી હતી.

મેયર કામિની રાઠોડ, શહેરના ધારાસભ્ય મનીષ અસિજા, એસપી સિટી સર્વેશ મિશ્રા, સિટી મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર કુમાર, સીઓ સિટી કમલેશ કુમાર ફોર્સ સાથે કાઠ બજારમાં પહોંચ્યા હતા. DM ડો. ઉજ્જવલ કુમાર અને SSP આશિષ તિવારીએ પણ બજારનું નિરીક્ષણ કર્યું હતું.



Google NewsGoogle News