રાતે સૂતા હતા ત્યારે ઘરમાં આગ ભડકી, જયપુરમાં 3 બાળકો સહિત પરીવારના 5 સભ્યો જીવતા ભડથું

તમામ મૃતકો બિહારના વતની હોવાની માહિતી મળી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
રાતે સૂતા હતા ત્યારે ઘરમાં આગ ભડકી, જયપુરમાં 3 બાળકો સહિત પરીવારના 5 સભ્યો જીવતા ભડથું 1 - image


Rajasthan News: જયપુરના વિશ્વકર્મામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ. અહીં એક મકાનમાં ભીષણ આગ લાગતાં 5 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. વિશ્વકર્માના જૈસલ્યા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં 3 બાળકો પણ સામેલ હતા. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. તમામ મૃતકો બિહારના વતની હોવાની માહિતી મળી રહી છે. પોલીસે એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી.

બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો

જૈસલ્યા ગામમાં મધુબની બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો. માહિતી અનુસાર રાતે જ્યારે પરિવારના લોકો સૂતા હતા તે સમયે જ આગ લાગી હતી. તેમને બહાર નીકળવાની તક પણ ના મળી. આગથી બચવા તેઓ એક ખૂણામાં છુપાઈ ગયા હતા. જ્યાં જીવતા જ ભડથું થઇ ગયા.


Google NewsGoogle News