સાઉદીથી પાછા આવતા જ એરપોર્ટ પર વડાપ્રધાન મોદી, ડોભાલ અને જયશંકર વચ્ચે ઈમરજન્સી બેઠક
PM Modi Emergency Meeting : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા છે. દિલ્હી પહોંચતાની સાથે જ તેમણે એરપોર્ટ પર જ એક ઈમરજન્સી બેઠક બોલાવી. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હાજર રહ્યા હતા.
Delhi | Prime Minister Narendra Modi took a briefing meeting with EAM Dr S Jaishankar, NSA Ajit Doval, Foreign Secretary Vikram Misri and other officials in view of the #PahalgamTerroristAttack in Kashmir pic.twitter.com/F1LnHakHrU
— ANI (@ANI) April 23, 2025
કયા કયા મુદ્દે ચર્ચા થઈ
વડાપ્રધાનના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા પછી તરત જ યોજાયેલી આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં હુમલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ અને સુરક્ષા વ્યૂહરચનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાકીના કાર્યક્રમો છોડીને આજે સવારે દેશ પરત ફર્યા હતા.
સાઉદીનો પ્રવાસ પડતો મૂકી પાછા આવ્યા
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ ગઈકાલે રાત્રે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથેની મુલાકાત પછી તરત જ પાછા ફરવાનો નિર્ણય લીધો. તેમણે ક્રાઉન પ્રિન્સના શાહી ભોજન સમારંભમાં પણ હાજરી આપી ન હતી અને ભારતીય સમય મુજબ રાત્રે 1:45 વાગ્યે ઉડાન ભરી હતી અને આજે સવારે 6:45 વાગ્યે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઈમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને, પીએમ મોદીએ આજે સવારે સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી છે.