2 અઠવાડિયામાં બીજી વખત દિલ્હી-NCRમાં આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ધરતી ધણધણી

હરિયાણાના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવ્યો

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
2 અઠવાડિયામાં બીજી વખત દિલ્હી-NCRમાં આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા 1 - image

દિલ્હી-NCRમાં રવિવારે ભૂંકપના મોટા આંચકા અનુભવાયા છે. દિલ્હીની સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પણ રવિવારે ધરતી ધણધણી ઉઠી હતી. તો, હરિયાણાના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે, જ્યારે હરિયાણાના ફરિદાબાદમાં કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ પહેલા 3 ઓક્ટોબરે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરોથી બહાર રોડ પર દોડી આવ્યા હતા.

ભૂકંપ શા માટે થાય છે?

પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.

કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?

જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે. 


Google NewsGoogle News