Get The App

અજબ-ગજબ: ભારતમાં આ સ્થળે ખુલી સ્કિન ડોનેશન માટેની હોસ્પિટલ

Updated: Jun 21st, 2023


Google NewsGoogle News
અજબ-ગજબ: ભારતમાં આ સ્થળે ખુલી સ્કિન ડોનેશન માટેની હોસ્પિટલ 1 - image


 Image Source : FREEPIK 

નવી દિલ્હી,તા. 21 જૂન 2023, બુધવાર

ઉત્તર ભારતમાં પ્રથમ વખત દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મંગળવારે સ્કિન બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સફદરજંગ ઉત્તર ભારતની પ્રથમ હોસ્પિટલ છે જ્યાં સ્કિન ડોનેટનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

સ્કિન બેંકમાં દાન કરાયેલી ત્વચાનો ઉપયોગ આગમાં દાઝી ગયેલા લોકોની સારવાર માટે કરવામાં આવશે. ત્વચા સંબંધિત કેસો જેમ કે ગંભીર બર્ન ઈજા અથવા એસિડ બર્ન દર્દીની સ્કિન ગ્રાફટિંગ કરવામાં મદદ કરશે. વ્યક્તિના મૃત્યુના 6 કલાકની અંદર ત્વચાનું દાન કરી શકાય છે.

દેશમાં 16 સ્કિન બેંક છે. એક એવી સુવિધા જ્યાં મૃત વ્યક્તિઓની ચામડીનું દાન કરી શકાય છે. મહારાષ્ટ્રમાં સાત, ચેન્નાઈમાં ચાર, કર્ણાટકમાં ત્રણ અને મધ્ય પ્રદેશ અને ઓડિશામાં એક-એક સ્કિન બેંક છે.

સ્કિન ટ્રાન્સપ્લાન્ટની સૌથી સારી વાત એ છે કે, ન તો સમાન બ્લડ ગ્રુપની જરૂર છે અને ન તો પછી ઇમ્યુનોસપ્રેસન દવા લેવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિ ત્વચાનું દાન કરી શકે છે અને કોઈપણ વ્યક્તિની ત્વચા કોઈપણ વ્યક્તિને લગાવી શકાય છે.

સ્કીન ડોનેટની જરૂર કેમ છે?

ત્વચા એ કોઈપણ વ્યક્તિના શરીરનું કુદરતી આવરણ છે. શરીરને સૂર્ય, પ્રદૂષણ, રસાયણો અને બેક્ટેરિયાથી બચાવે છે. સાથે જ તે શરીરને પણ સુરક્ષિત રાખે છે. સ્વાભાવિક રીતે, ચામડી સહેજ ઈજા અથવા ખંજવાળ વગેરે મળ્યા પછી તેની જાતે જ સ્વસ્થ થઈ જાય છે. આ સાથે, આ નિશાન અને ફોલ્લીઓ ધીમે ધીમે હળવા થવા લાગે છે.

ત્વચા દાન કેવી રીતે કરી શકાય?

ત્વચા દાન માટે સૌપ્રથમ બ્લડ ટેસ્ટ અને સ્કિન કલર ટેસ્ટ કરવામાં આવે છે. સ્કિન ડોનેશન માટે સ્કિન ડોનેશન બેંકમાંથી પણ મદદ લઈ શકાય છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે ત્વચા 6 કલાકની અંદર જરૂરિયાતમંદોને દાન કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્વચાનું દાન કરનાર વ્યક્તિની ત્વચા 3-5 વર્ષ સુધી ફ્રીઝિંગ પ્રક્રિયા દ્વારા સંગ્રહિત થાય છે.


Google NewsGoogle News