પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસ: દિલ્હીની સાકેત કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા
નવી દિલ્હી,તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર
પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. સૌમ્યા વિશ્વનાથનની 2008માં થયેલ હત્યામાં સામેલ પાંચ આરોપીઓને બુધવારે દિલ્હીની સાકેત કોર્ટે દોષિત ઠેરવ્યા છે. 30 સપ્ટેમ્બર 2008ના રોજ સવારે 3.30 વાગ્યે નેલ્સન મંડેલા રોડ પર ચાલતી કારમાં સૌમ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આરોપીઓની સજાને લઇને 26 ઓક્ટોબરે કોર્ટમાં ચર્ચા થશે. કોર્ટે આરોપી રવિ કપૂર, બલજીત મલિક, અમિત મલિક અને અમિત શુક્લાને હત્યાના દોષી ઠેરવ્યા છે. અમિત સેઠી નામના આરોપીને 411 મકોકા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
In the 2008 murder case of TV journalist #SoumyaVishwanathan, a #Delhi court convicted four accused under MCOCA provisions and one for helping in receiving stolen property.
— IANS (@ians_india) October 18, 2023
Additional Sessions Judge Ravindra Kumar Pandey of the Saket Court pronounced the judgement after having… pic.twitter.com/D00mokzdhr
જે આરોપીઓને બુધવારે દોષી ઠેરવવામાં આવ્યા હતા તેમની સજા અંગે 26 ઓક્ટોબરે ચર્ચા થશે. તે પછી, તેને આગામી તારીખે જ આ ગુના માટે સજા ફટકારવામાં આવશે. અગાઉ, સાકેત કોર્ટે બચાવ અને પ્રચાર પક્ષોની દલીલો પૂર્ણ કર્યા પછી 13 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની 30 સપ્ટેમ્બર 2008ના રોજ સવારે 3:30 વાગ્યે કામ પરથી ઘરે પરત ફરતી વખતે તેમની કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.