VIDEO : EDની કાર્યવાહી પર ભડક્યું AAP, ભાજપે કહ્યું, ‘CM કેજરીવાલ સુધી પહોંચશે તપાસ’
દિલ્હી લિકર કૌભાંડમાં EDએ AAP સાંસદ સંજય સિંહની ધરપકડ કર્યા બાદ AAP-BJP વચ્ચે શબ્દયુદ્ધ શરૂ
કાર્યવાહી મામલે CM અરવિંદ કેજરીવાલે ભાજપ કર્યો કટાક્ષ, તો કોંગ્રેસે પણ કાર્યવાહીની કડક નિંદા કરી
નવી દિલ્હી, તા.04 ઓક્ટોબર-2023, બુધવાર
દિલ્હી લિકર કૌભાંડ (Delhi Liquor Policy Scam) મામલે EDએ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ (Sanjay Singh)ની ધરપકડ કર્યા બાદ AAP અને BJP વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. સિંજય સિંહની ધરપકડ બાદ AAP નેતાઓ અને કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. આ મામલે દિલ્હી સહિત લખનઉમાં પણ ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ધરપકડ મામલે વિપક્ષો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી છે, તો ભાજપે પણ વળતો હુમલો શરૂ કરી દીધો છે. દરમિયાન ભાજપ સાંસદ મનોજ તિવારી (Manoj Tiwari)એ કહ્યું કે, સંજય સિંહની ધરપકડ દર્શાવે છે કે, આંચ માત્ર સંજય સિંહ સુધી જ નહીં અરવિંદ કેજરીવાલ સુધી પણ જશે...
કાર્યવાહી મામલે AAP-BJP વચ્ચે શબ્દયુદ્ધ શરૂ
ઈડીની કાર્યવાહી બાદ શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે. આ મામલે પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પ્રતિક્રિયા આપી છે, તો ભાજપે પણ પ્રેસ કોન્ફરન્સ કરી AAPને ઘેરી રહી છે. કાર્યવાહી મામલે ભાજપ નેતા ગૌરવ ભાટિયા (Gaurav Bhatia)એ સીએમ કેજરીવાલને ઘેર્યા, તો બીજીતરફ ભાજપ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું...
કોંગ્રેસે કાર્યવાહીની કડક નિંદા કરી
#WATCH | Delhi: BJP Leader Gaurav Bhatia says, "The public of the nation and Delhi has understood that if there's a kingpin in the Liquor scam it is Arvind Kejriwal on whose indications the Liquor scam in Delhi took place...On the indication of Arvind Kejriwal, Sanjay Singh says… pic.twitter.com/D0SUIJyiMK
— ANI (@ANI) October 4, 2023
કોંગ્રેસ (Congress) નેતા પ્રમોદ તિવારી (Pramod Tiwari)એ કહ્યું કે, ભાજપ સરકાર તાનાશાહી વલણ અપનાવી પત્રકારો અને વિરોધ પક્ષના નેતાઓ સામે જબરદસ્તી, દમન, ભય અને આતંકનું વાતાવરણ ઊભું કરવા માંગે છે. ખાસ કરીને જેઓ INDIA ગઠબંધન સાથે જોડાયેલા છે... કોંગ્રેસે સંજય સિંહ સામે કરાયેલી કાર્યવાહીની સખત નિંદા કરી છે.
CM કેજરીવાલે ભાજપ કર્યો કટાક્ષ
#WATCH दिल्ली: AAP सांसद संजय सिंह के आवास पर ED की छापेमारी पर कांग्रेस नेता प्रमोद तिवारी ने कहा, "यह(BJP) सरकार तानाशाही रवैया अपनाकर जोर-जबरदस्ती, दमन, भय और आतंक का माहौल पत्रकारों के खिलाफ और उन नेताओं के खिलाफ कायम करना चाहती है जो विरोधी दल के है, विशेषकर जो INDIA गठबंधन… pic.twitter.com/j7seK8eWCb
— ANI_HindiNews (@AHindinews) October 4, 2023
ઈડીની કાર્યવાહી મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તેમના નિવાસ સ્થાને કશું જ મળશે નહીં. તેમણે કહ્યું કે, વર્ષ 2024ની ચૂંટણી આવી રહી છે, તેઓ જાણે છે કે, હારી જશે... આ તેમની નિરાશાનો પ્રયાસ છે, જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે, તેમ તેમ ED, CBI જેવી તમામ એજન્સીઓ એક્ટિવ થઈ જશે...
મંત્રી આતિશીએ કહ્યું, PM મોદી જાણે છે કે...
#WATCH | Delhi CM Arvind Kejriwal on Enforcement Directorate raid on AAP leader Sanjay Singh in liquor policy case
— ANI (@ANI) October 4, 2023
"...Nothing will be found at his residence. 2024 elections are coming and they know that they will lose. These are desperate attempts by them. As elections near,… pic.twitter.com/s3Uz5HS8MD
આપ સાંસદ સંજય સિંહ સામેની કાર્યવાહી મામલે દિલ્હીના મંત્રી આતિશી (Atishi Marlena)એ કહ્યું કે, છેલ્લા 15 મહિનાથી આ કથિત કૌભાંડમાં સીબીઆઈ-ઈડી તપાસ કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર અને તેમની તમામ એજન્સીઓ હજુ સુધી 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી શકી નથી અને કોઈપણ પુરાવા પણ મળ્યા નથી... આ દર્શાવે છે કે, ભાજપને આપથી ડર લાગે છે અને પીએમ મોદી જાણે છે કે, તેઓ લોકસભા ચૂંટણી હારી રહ્યા છે.
કેજરીવાલ સુધી તપાસ જશે : મનોજ તિવારી
#WATCH | Delhi: On ED raids at the residence of AAP MP Sanjay Singh, Delhi minister & AAP leader Atishi says, "...They have put a hundred officers of ED and CBI, arrested and tortured people. But till now the central government and their agencies are not able to prove any… pic.twitter.com/S4jXFzhvuB
— ANI (@ANI) October 4, 2023
સંજય સિંહ સામેની કાર્યવાહી અંગે ભાજપ સાંસદ મનોજ તિવારીના કહેવા મુજબ જેમણે નાણાં આપ્યા છે, તેમણે પોતે જ કહ્યું કે, નાણાં અપાયા છે, તેના કારણે જ ધરપકડ થઈ... સંજય સિંહની ધરપકડ દર્શાવે છે કે, માત્ર સંજય સિંહ જ નહીં પરંતુ આ તપાસ અરવિંદ કેજરીવાલ સુધી પણ જશે...
#WATCH | On the arrest of AAP MP Sanjay Singh, BJP MP Manoj Tiwari says, "Today Sanjay Singh has been arrested (in connection with Delhi liquor policy case). The flame will not remain only on Sanjay Singh or Manish Sisodia or Satyendar Jain, I believe it will soon reach Arvind… pic.twitter.com/yi8g7T83YT
— ANI (@ANI) October 4, 2023
• ધરપકડ બાદ સંજય સિંહે કાર્યકર્તાઓને આપ્યો સંદેશ, પત્નીએ પણ આપી પ્રતિક્રિયા, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો
• લિકર કૌભાંડ કેસમાં EDએ AAP સાંસદ સંજયસિંહની ધરપકડ કરી, કાર્યકરો રોષે ભરાયા, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો