૫ વર્ષના પુત્રને દંપતિએ ગંગામાં ડૂબાડી દીધો, હરદ્વારમાં હ્દયદ્રાવક ઘટના બની

સંતાનને હરદ્વાર બ્રહ્મકુંડ પાસે લાવવામાં આવ્યું હતું.

સંતાન કેન્સરથી પીડાતું હોવાનું માતા પિતાએ જણાવ્યું

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
૫ વર્ષના પુત્રને દંપતિએ ગંગામાં ડૂબાડી દીધો,  હરદ્વારમાં હ્દયદ્રાવક ઘટના બની 1 - image


નવી દિલ્હી,૨૪ જાન્યુઆરી,૨૦૨૪,બુધવાર 

હરિદ્વારમાં એક દંપતિએ પોતાના ૫ વર્ષના કેન્સરગ્રસ્ત પુત્રને હરદ્વારમાં ગંગા કાંઠે ડૂબાડી દીધો હોવાની ઘટનાએ સનસનાટી મચાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હર કી પૌડી પાસે દંપતિની ક્રુરતા જોઇને લોકો ગુસ્સામાં આવી ગયા હતા. કેટલાક તો દંપતિને મારવા લાગ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓને ભીડ પાસેથી છોડાવ્યા હતા.આ સમગ્ર ઘટનાને તંત્ર મંત્ર સાથે પણ જોડવામાં આવી રહી છે. દંપતિ દિલ્હીથી પોતાના સંતાનને હરદ્વાર બ્રહ્મકુંડ પાસે લાવવામાં આવ્યું હતું.

ડૂબકી મારવાથી તરફડિયા મારતા બાળકને લોકોએ એનકેન રીતે બહાક કાઢયું ત્યારે મૃત અવસ્થામાં હતું. પોલીસે મૃત બાળકના માતા પિતાની ધરપકડ કરીને પુછપરછ કરતા બાળક કેન્સરથી પીડાતું હોવાનું જણાવ્યું હતું. પોતાના સંતાનનો ઇલાજ કરવામાં ખૂબ ખર્ચ કર્યો હતો પરંતુ સાજુ થવાની આશા રહી ન હતી. છેવટે ગંગાસ્નાન કરાવવા માટે હરદ્વાર લાવ્યા હતા. બાળકની હત્યા થઇ છે કે કેન્સરની બીમારી હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મૃત બાળકના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે તેની રાહ જોવામાં આવી રહી છે.


Google NewsGoogle News