બંધારણની નકલોમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ 'ગુમ', અધીર રંજને સરકાર સામે તાક્યું નિશાન

અધીર રંજને કહ્યું કે અમને નવા સંસદ ભવનમાં પ્રવેશતી વખતે બંધારણની નવી નકલો અપાઈ હતી

આ બંને શબ્દો 1976માં બંધારણના 42મા સુધારાના ભાગરૂપે પ્રસ્તાવનામાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દો ઉમેરવામાં આવ્યા હતા

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
બંધારણની નકલોમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દ 'ગુમ', અધીર રંજને સરકાર સામે તાક્યું નિશાન 1 - image

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir ranjan Chaudhry) એ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ (constitution of india) ની નવી નકલોની પ્રસ્તાવનામાં 'સમાજવાદી અને બિનસાંપ્રદાયિક' (socialist and secular ) શબ્દો હતા જ નહીં. 

અધીર રંજન ચૌધરીએ શું કહ્યું? 

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો જે અમને 19 સપ્ટેમ્બરે અપાઈ હતી તેની પ્રસ્તાવનામાં 'સમાજવાદી અને બિનસાંપ્રદાયિક' શબ્દો નહોતા. અમે આ નકલો અમારા હાથમાં લઈને સંસદમાં પ્રવેશ્યા હતા. અમે જાણીએ છીએ કે આ શબ્દો વર્ષ 1976માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જો આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો તેમાં સામેલ નથી, તો તે ચિંતાનો વિષય છે.

કહ્યું - મને આ મુદ્દો ઉઠાવવાની તક ન મળી

તેમણે કહ્યું કે સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી દરમિયાન 1976માં બંધારણના 42મા સુધારાના ભાગરૂપે પ્રસ્તાવનામાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News