Get The App

I.N.D.I.A. ગઠબંધન હવે કોંગ્રેસ માટે જ માથાનો દુ:ખાવો! હવે TMCએ કહ્યું- નેતૃત્વ વિશે વિચારવું પડશે

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
I.N.D.I.A. ગઠબંધન હવે કોંગ્રેસ માટે જ માથાનો દુ:ખાવો! હવે TMCએ કહ્યું- નેતૃત્વ વિશે વિચારવું પડશે 1 - image


India Bloc Leadership: રાજધાની દિલ્હીમાં નવી સરકાર ચૂંટવા માટે 70 વિધાનસભા બેઠકો સાથે જ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીનો શોર મતદાન સાથે જ થંભી ગયો છે. હવે ચૂંટણી પરિણામોનો વારો છે. દિલ્હી ચૂંટણી અને મિલ્કીપુર પેટાચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે પરંતુ તે પહેલાં વિપક્ષી I.N.D.I.A. ગઠબંધનની કાયદેસરતા અને ભવિષ્ય અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પછી લોકસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી સમાજવાદી પાર્ટીથી લઈને પશ્ચિમ બંગાળની સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસ સુધી કોંગ્રેસ પાર્ટી I.N.D.I.A. બ્લોકના ઘટક પક્ષોના નિશાના પર છે.

I.N.D.I.A. ગઠબંધનના નેતૃત્વ વિશે વિચારવું પડશે

TMC સાંસદ કીર્તિ આઝાદે કોંગ્રેસને વિચારવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, હરિયાણા હોય કે મહારાષ્ટ્ર કોંગ્રેસ દરેક જગ્યાએ હારી જાય છે. આપણે I.N.D.I.A. ગઠબંધન નેતૃત્વ વિશે વિચારવું પડશે. તેમણે કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધનના મુખિયા કોંગ્રેસે બન્યા રહેવું કે નહીં તે અંગે વિચારવું પડશે. બીજી તરફ સપાના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસ પણ ભાજપની ભાષા બોલી રહી હતી. તેમણે કટાક્ષમાં કહ્યું કે, જેમને પણ અહંકાર આવી જાય છે તેઓ વિનાશ તરફ વધે છે.

I.N.D.I.A. ગઠબંધનનું નેતૃત્વ એકવાર બદલવું જોઈએ

રામ ગોપાલ યાદવે કહ્યું કે જો કોંગ્રેસને અહંકાર ન આવી ગયો હોત તો તે હરિયાણામાં અમને પણ એક-બે બેઠકો આપી શકી હોત. I.N.D.I.A. ગઠબંધનનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી હતી. I.N.D.I.A. ગઠબંધનની બેઠકો યોજવાની અને ભવિષ્યની રણનીતિ ઘડવાની જવાબદારી તેમની હતી. તેમણે એમ પણ કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધનના નેતૃત્વમાં ફેરફાર કરવા માટે ચર્ચા ચાલી રહી છે. હું વ્યક્તિગત રીતે માનું છું કે નેતૃત્વ એકવાર બદલવું જોઈએ અને પછી તે જોવું જોઈએ. યુપીમાં કોંગ્રેસ પાસે કંઈ નથી.

તેમણે એવો પણ દાવો કર્યો કે, લોકસભા ચૂંટણીમાં કેટલાક ઉમેદવારો અમારા છે જેમને અમે કોંગ્રેસને આપ્યા હતા અને તેના કારણે જ જીત મળી. સપા મહાસચિવ પ્રોફેસર રામ ગોપાલ યાદવના નિવેદન પર સપા સાંસદ વીરેન્દ્ર સિંહે કહ્યું છે કે તેઓ એક મોટા નેતા છે. તેમની પાસે ઘણો અનુભવ છે. વીરેન્દ્ર સિંહે સ્પષ્ટતા કરી કે સમાજવાદી પાર્ટી માને છે કે રામ ગોપાલ યાદવે જે કહ્યું છે તે સંપૂર્ણપણે સાચું છે. TMC બાદ હવે સપાએ પણ ખુલ્લેઆમ મોરચો ખોલતા ઈન્ડિયા બ્લોકમાં નેતૃત્વ પર નવી ચર્ચા શરૂ થઈ છે.

કોંગ્રેસની પણ આવી પ્રતિક્રિયા

હવે કોંગ્રેસે પણ સપા અને TMC સાંસદોના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ઉપલા ગૃહમાં પાર્ટીના ઉપનેતા પ્રમોદ તિવારીએ રામ ગોપાલ યાદવના આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય ભાજપની ભાષા નથી બોલતી. અમે ઉત્તર પ્રદેશમાં અમારા ગઠબંધનનું પ્રામાણિકપણે પાલન કર્યું છે. અમે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવી દીધું અને સપાને ફાયદો થયો છે.


Google NewsGoogle News