...તો શું કોંગ્રેસના ખાતા અનલૉક નથી થયા? 115 કરોડ રાખવાની શરત, અજય માકનનો મોટો દાવો

આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરીની માગ કરી હતી

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
...તો શું કોંગ્રેસના ખાતા અનલૉક નથી થયા? 115 કરોડ રાખવાની શરત, અજય માકનનો મોટો દાવો 1 - image


Congress accounts Frozen News | કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ સીઝ થવાના અહેવાલ જ્યારથી આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાઈ ગયું છે. સૌથી પહેલા એવા અહેવાલ આવ્યા કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરીની માગ કરી હતી. ત્યારબાદ આ મામલો આવકવેરા વિભાગ અને આવકવેરા વિભાગના અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો જ્યાંથી બુધવાર સુધી કોંગ્રેસને રાહત મળવાના અહેવાલ મળ્યાં હતાં. પરંતુ શું ખરેખર રાહત મળી? 

અજય માકને કર્યો નવો દાવો! 

આ અહેવાલ બાદ એવી ચર્ચા થઈ કે આ મામલે કોંગ્રેસને રાહત મળી ગઇ છે અને તેના એકાઉન્ટ અનલૉક થઇ ગયા છે. જોકે અજય માકનના જણાવ્યાનુસાર એવું થયું જ નથી. કોંગ્રેસને આવકવેરા વિભાગના ટ્રિબ્યુનલ તરફથી કોઈ રાહત અપાઈ જ નથી. તેમણે કહ્યું કે આઈટી ટ્રિબ્યુનલ દ્વારા કોંગ્રેસ સામે તેના એકાઉન્ટમાં 115 કરોડ રૂપિયા રાખવાની શરત મૂકી દેવામાં આવી છે. આ સાથે કહેવાયું છે કે આ રકમ પર લિન માર્ક લગાવી દેવાયું છે. જેનો અર્થ એ છે કે અમે તેનાથી ઉપરની જ રકમને વાપરી શકીશું. 115 કરોડ રૂપિયા તો ખાતામાં જ રાખવા પડશે.  

લોકતંત્રની હત્યા થઇ રહી છે... 

ઉલ્લેખનીય છે કે સવારે પત્રકાર પરિષદ કરીને તેમણે સત્તા પક્ષ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે 2018ના આવકવેરા રિટર્નને આધાર બનાવી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ ખૂબ જ શરમજનક વાત છે. લોકતંત્રની હત્યા થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં અમારા એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા. કોંગ્રેસ પાર્ટી મેમ્બરશીપ ડ્રાઈવના માધ્યમથી યુથ કોંગ્રેસ દ્વારા પૈસા એકત્રિત કરે છે અને તે પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા. 

...તો શું કોંગ્રેસના ખાતા અનલૉક નથી થયા? 115 કરોડ રાખવાની શરત, અજય માકનનો મોટો દાવો 2 - image


Google NewsGoogle News