CM મમતા બેનર્જી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર પર ચઢતા સમયે સંતુલન બગડતા લપસી પડ્યા
Updated: Apr 27th, 2024
Lok Sabha Elections 2024: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ફરી એકવાર ઘાયલ થયા છે. દુર્ગાપુરમાં હેલિકોપ્ટરમાં ચઢતી વખતે તેમને ઈજા પહોંચી છે. તેઓ દુર્ગાપુરથી આસનસોલ જઈ રહ્યા હતા.ત્યા તૃણમૂલ ઉમેદવાર શત્રુઘ્ન સિંહાના સમર્થનમાં એક રેલીને સંબોધવાના હતા. મમતા બેનરજી જ્યારે હેલિકોપ્ટરમાં ચઢી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાનું સંતુલન બગડતા લપસી પડ્યા હતા. તેમને પગમાં થોડી ઈજા થઈ છે.
મમતા બેનરજીને ગંભીર ઈજા પહોંચી નથી
અહેવાલો અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે તેમના સુરક્ષાકર્મીઓએ તરત જ મુખ્યમંત્રી મમતા બેનરજીની મદદ પહોંચી ગયા હતા અને થોડા સમય બાદ તેઓ દુર્ગાપુરથી આસનસોલ જવા રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, તેમની ઈજા બહુ ગંભીર નથી અને તે આસનસોલમાં પાર્ટીની ચૂંટણી રેલીમાં ભાગ લેશે.
અગાઉ પણ મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ ઘરે કેમ્પસમાં ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક પડી જતા તેમને માથામાં ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.