દેશમાં JN-1 વેરિયન્ટનો કેસ નોંધાતા કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું આપી સલાહ

કોવિડ-19ના કેસ વધતા અને દેશમાં નવો વેરિયન્ટ JN-1નો પહેલો કેસ સામે આવ્યો

જેને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને નવી ગાઈડલાઈન જાહેર કરી

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
દેશમાં JN-1 વેરિયન્ટનો કેસ નોંધાતા કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું આપી સલાહ 1 - image


Covid New Variant Alert: દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. આ બાબતે હાલ કોવિડ-19ના નવા વેરિયન્ટ JN-1મો પહેલો કેસ સામે આવતા કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 

પોઝીટીવ સેમ્પલ મોકલવાની સલાહ 

રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત દરેક જરૂરી ટેસ્ટ કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત, જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG પ્રયોગશાળાઓમાં પોઝીટીવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.

સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દ્વારા નવી ગાઈડલાઈન જાહેર

સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમજ તેમણે હોસ્પિટલોને એલર્ટ રહેવા કહ્યું છે તેમજ સ્વાસ્થ્ય વિભાગને સ્થિતિ પર નજર રાખવા કહ્યું છે. 

સંક્રમણ પર કાબુ મેળવવા માટે સામુહિક તપાસ 

સંક્રમણને કાબૂમાં લેવા ફરી એકવાર સામૂહિક ટેસ્ટ શરૂ કરવામાં આવશે. તેમજ જેમને શ્વાસની તકલીફ છે તેમણે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે. હાલના સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર સમગ્ર દેશમાં 1800થી વધુ કોવિડ કેસમાં 1600થી વધુ કેસ કેરળમાંથી સામે આવ્યા છે. કેરળમાં કોવિડના કારણે 4 લોકોનું મૃત્યુ થતા કર્ણાટકે સાવચેતી રાખવાનું શરુ કર્યું છે. કેરળમાં કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 વિષે જાણકારી મળી છે. 8 ડિસેમ્બરે તિરુવનંતપુરમના કારાકુલમથી RTPCR પોઝીટીવ સેમ્પલ દ્વારા સબવેરિયન્ટની જાણકારી મળી હતી. તેમજ શનિવારે બે લોકો મૃત્યુ પામતા લોકોમાં ફરી કોરોનાને લઈને ડર જોવા મળી રહ્યો છે. 

60 વર્ષથી વધુ વયના લોકોને ખાસ કાળજી લેવી

ગાઈડલાઈનમાં વૃદ્ધોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમજ જેમને હૃદય રોગની સમસ્યા છે કે અન્ય કોઈ ગંભીર બીમારી છે તો તેમણે માસ્ક પહેરવું ફરજીયાત છે. આ ઉપરાંત હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ કેરળ સાથે જે રાજ્યો સીમા ધરાવે છે તેમને પણ ખાસ સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. 


Google NewsGoogle News